” નયનોની નજાકત ” May 21, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” નયનોની નજાકત ”
દીધું છે રૂપ અઢળક પ્રભુએ તમોને
તો શાને કરવા પડે તમારે આમ નખરાં
શાને તમે સદા અમથી દૂર ઉભા રહીને
મારો છો કાતીલ તીર નયનોનાં જબરાં.
ચલાવી તમે એ તીર નયનોનાં કાતીલ
કર્યાં અમને ઘાયલ અને સાવ નબળા
ન જાણુ શાથી આ જગત તમને કહે છે
કે નારી સ્વરૂપ તમે કહેવાઓ અબળા.
જોઇ એ નજાકત અને જોઈ એ જાદુ
જે ભર્યાં છે પ્રભુએ તમારા નયનમાં.
ગુમાવી દીધો છે મેં મુજ હૈયાનો કાબુ
તત્પર છું હું પડવા તમારા પ્રણયમાં.
થઇ આવે મનમાં કે આવી તમારી પાસે
નિહાળું મુખડું બેસી તમારી સમીપમાં.
પણ ડર લાગે મુજને મનમાહીં એવો કે
પડશે તો નહી ને થપ્પડ એક ક્ષણમાં.