jump to navigation

” જતી જવાની “ April 26, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” જતી જવાની ”

એક દી છૂટા છેડા લઇને, એ તો જરૂર છે ચાલી જવાની,
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી જવાની.

સાંભળી મારા કાલાવાલા,એ કદી નથી પાછી ફરવાની,
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી જવાની.

પ્રભુએ ચઢાવી ચાંદી માંથે, શું જરૂર તે દુર કરવાની,
તો શાને કરવા યત્નો મારે, છૂપવવા એ જતી જવાની.

બહેરા કાન ન સૂણે કશું, જો કરે કોઇ મારી બદનામી,
તો શાને કરવા યત્નો મારે, એવા કડવા શબ્દો સૂણવાની.

કેડ વળી,હું શીખ્યો નમતા, લાગી ઘટવા મારી ગુમાની
તો શાને કરવા યત્નો મારે, સાચવવા એ જતી ગુમાની.

મુખડું મારૂં ખાય છે ચાડી, નથી વાત છાની રહેવાની
તો શાને કરવા યત્નો મારે, છૂપવવા એ જતી જવાની.

કરચલી આ મુખ ઉપરની છે, અનુભવોની નીશાની
તો શાને કરવા યત્નો મારે, એ કરચલીઓ ભૂંસવાની.
૨૩ -૧-૦૬

” ભારતિય ભામિની ” April 24, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” ભારતિય ભામિની ”

સંગેમરમર સમું છે,સુંવાળું તારૂં બદન
નમણા તારા સ્કંધ ‘પર શોભે છે તારૂં વદન

છે કામણગારા નૈન ‘ને છે લાંબા કાળા વાળ
કટી છે તારી તનુ,વળી છે વક્ષસ્થલ વિશાળ

શોભે કાજળ નૈનમાં, કુમકુમથી શોભે ભાલ
હરણી જાણે ચાલતી, એવી છે તારી ચાલ

છે નારી સહજ લજજા તને, છે તું અતી શરમાળ
હોયે જયારે તું ક્રોધમાં, લાગે વાઘણથી વિકરાળ

ધનુષ્ય સમ છે ઓષ્ઠ ‘ને વળી છે ગુલાબી ગાલ
રૂપ તારૂં આ જોઇને, લાગે પ્રભુએ કીધી કમાલ

” એક વિચાર “ April 23, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” એક વિચાર ”

જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?

“The Deadlines”

Posted by vijayshah in : કવિતા , add a comment

“The Deadlines”

The lines that we know as deadlines
Are they really dead?
If that is truly a fact, to meet them,
Why do we bang our heads?

These lines which we think as dead
Are not dead but truly alive,
And people do toil to meet them,
Even more than nine to five.

These deadlines are the lines
That cause much fatigue and stress.
So to save yourself from both of these,
Just one point let me clearly stress.

It is OK to work hard to meet
The lines which we know as dead, but
Just don’t try to kill yourself for them,
Keep this clear in your head.

If somehow these deadlines are not met
They surely will be reborn.
But if you die to meet those lines
Forever you will be gone.

Girish Desai

” ચરણ રજ “ April 20, 2007

Posted by vijayshah in : વિચાર , add a comment

ચરણ રજ

આપણા સમાજમાં પત્નિએ પતિની, શિષ્યએ ગુરૂની અને નાનેરાઓએ વડીલોની ચરણ રજ લેવાનો રીવાજ પરાપૂર્વથી ચલ્યો આવે છે. અને જે પત્નિ, શિષ્ય કે વ્યકિત આ રીવાજનું પાલન કરે છે તે સમજદાર અને વિવેકી ગણાય છે. પણ ચરણ રજનો સાચો અર્થ ન સમજીએ તો કોઇના ચરણને સ્પર્શ કરવાથી આપણને લાભ થાય ખરો ? ચરણનો પ્રચલીત અર્થ છે પગ પણ બીજા પણ કેટલાક અર્થ છે જે સમજવા જેવા છે. એક છે ચરણ એટલે વિચરણ અથવા ભ્રમણ કરવાની ક્રિયા જેમકે સ્મરણ એટલે યાદ કરવાની ક્રિયા, પોષણ એટલે પુષ્ટ કરવાની ક્રિયા વગેરે વગેરે અને બીજો અર્થ છે કાવ્યની એક પંકિત કે ચોથો ભાગ. અને રજ એટલે કેવળ ધૂળ નહી પરંતુ એક નજીવો ભાગ.
હવે અસલના જમાનાની રહેણી કરણી અંગે વિચારીએ તો ચરણ રજનો સાચો અર્થ સમજાશે.
એ વખતના જુના જમાનામાં સ્ત્રી વર્ગ મુખ્યત્વે ઘરકામ અને બાળ બચ્ચાની સંભાળમાં વ્યસ્ત રહેતો અને પુરૂષ વર્ગ કુટુંબના ભરણ પોષણની જવાબદારીમાં આખા ગામમાં કે પરગામમાં ભ્રમણ અથવા ચરણ કે વિચરણ કરતો રહેતો. અને આ ચરણથી આખા દિવસમાં મળેલ અનુભવ જ્ઞાનથી નવરાશની વેળાએ પોતાના કુટુંબીઓને વાકેફ કરતો. આમ કુટુંબીઓને એના જ્ઞાનનો થોડો ઘણો જે કાંઇ લાભ મળતો તે જ ચરણ રજ કહેવાય. ગુરૂઓ શાસ્ત્રોના ચરણમાં – પંકિતઓમાં – વિચરણ યાને ભ્રમણ – કરી શિષ્યોને જે જ્ઞાન પ્રદાન કરે તેને ગુરૂની ચરણ રજ કહેવાય. વળી પત્નિ પણ એને દિવસ ભર થયેલા બાળ ઉછેર અને સામાજિક અનુભવોના જ્ઞાનથી પતિને વાકેફ કરે તે પણ પત્નિની ચરણ રજ જ કહેવાય. આમ મારી દ્રષ્ટિએ આપણે જીવનભર વિવિધ વિશયોમાં વિચરણ કરી મેળવેલા જ્ઞાનની આપ લે કરવી એટલે જ એક બીજાની ચરણ રજ લેવી એમ કહેવાય.
૨૮-૧૨-૦૫

” IS—AS “

Posted by vijayshah in : વિચાર , add a comment

IS—AS

A thought to a brain is as
Radio wave is to a radio.

Sanskar to a mind is as
DNA is to a cell.

Knowledge to wisdom is as
Food is to blood.

Prakriti to Purusha is as
Flow is to a fluid.

Soul to an individual is as
An atom is to an object.

God to a soul is as
Electron is to an atom.

GIRISH DESAI

” સુખનું ધામ “ April 18, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” સુખનું ધામ ”

તન માટે ઉદ્યમ ભલો,મન માટે હરિ નામ
ધન માટે બુદ્ધિ ભલી, સંતોષ છે સુખનું ધામ

” માનવી માનવ બને તો ઘણું. “

Posted by vijayshah in : વિચાર , 1 comment so far

” માનવી માનવ બને તો ઘણું. ”

સૃષ્ટિના સર્જનને ટાણે,ભળ્યા અણુમાં અણુ
એમ કરતા માનવી સર્જાયો, પહેલો કહેવાયો મનુ.
સુખ શાન્તિ પામવા, માનવી ખૂંદે જગત ઘણું,
પણ સુખ શાન્તિ કાજે તો
બસ માનવી માનવ બને તો ઘણું.

” The Seed “ April 14, 2007

Posted by vijayshah in : કવિતા , add a comment

” The Seed ”
Thought is a seed, impregnated by our Lord
And nourished in the womb of our mind.
It grows as a tree, and we call it our world,
Bearing fruits, of every different kind.

Everyone tries to climb on this tree
To test the fruit that he desires.
And as soon as he tests that one,
He longs for the one that is higher.

Time and again he picks and tests,
Yet unfulfilled remains his desire.
From the day of birth he starts to pick
Till the day he is put on the pyre.

Posted by vijayshah in : કવિતા , add a comment

” બીજ ”

વિચાર તો બીજ છે, જે શ્રી હરિએ વાવીયું
‘ને મન તણા ગર્ભમાં તે વિકાસ પામે
આ બીજના વૃક્ષને સહુએ જગત કહયું
વાસના ફળ તે ઉપર નીત નવિન લાગે.

સર્વ જન તે વૃક્ષ ઉપર ચઢવા મથે
ઇચ્છી એ ફળ તણો સ્વાદ કરવા.
ચાખી ફળ એક તે બીજું જરૂર ચહે
‘ને કરે યત્ન તે વધુ ઉપર ચઢવા.

ચાખે ફળ ફરી ફરી પણ ન ધરાય તે કદી
ન વળે જીવન ભર તેને કોઇ શાતા,
જન્મથી શરૂ કરી તે સદાય ચઢતો રહે
રોકાય તે કેવળ મૃત્યુ થાતા.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.