” પ્રભુ તું રહેશેને મદદમાં ?” April 1, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” પ્રભુ તું રહેશેને મદદમાં ?”
વીત્યાં કયારે, કેવા,જીવન મુજનાં પૂર્વ ભવમાં
કીધાં કેવા કર્મો નથી કશું મુજને સ્મરણમાં.
ન જાણું વિઘાતાએ, શું લખ્યું હશે આ જીવનમાં
તો નિયત પથે જાવા, પ્રભુ તું રહેશેને મદદમાં ?
હું હતો નાનો જયારે, વહી ગયાં વર્ષો રમતમાં
અને યુવાની તો વહી ગઇ સંસાર સુખમાં.
ભૂલ્યો બુઢાપે તુજને, કરૂં જતન હું જીર્ણ તનનાં
તો કયે મોઢે પૂછું,” પ્રભુ તું રહેશેને મદદમાં.”
પણ, પ્રભુ તું પ્રજ્વાળે જીવન અનલ મારા શરીરમાં
વહાવે વિચારોના, વમળ વળી મારા મગજમાં.
પ્રભુ, તારી ઇચ્છાથી તો, ફરે અણું અણું આ જગતના
તો તારા વિના કોને કહું હું રહેવાને મદદમાં !
અને જયારે આવે, શ્રી યમ મને અહીંથી લઇ જવા
પ્રભુ તે વેળાએ રહેજે તું મારી સમીપમાં.
પછી ભલે તે લઇ જાએ, મને સ્વર્ગમાં કે નરકમાં
નહીં લાગે ભીતી, પ્રભુ જો રહેશે તું મદદમાં.