jump to navigation

“અહંનો અંચળો” December 21, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“અહંનો અંચળો”
ઓઢી અહંનો અંચળો,બ્રહ્મ અંતરમાં છુપાય
દે દર્શન એ બ્રહ્મ જ્યારે અંચળો દૂર થાય.

“તો કહો શાથી ?” December 4, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“તો કહો શાથી ?”

પુષ્પો ન હોયે તો ન મળે પરાગ
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?

ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?

વનરાઇ પોશે સહુ પ્રાણીઓને
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?

જે સાચવે છે આ પર્યાવરણને
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી

તો કહો

માનવી પ્રભુને પથ્થર બનાવી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?

“તે દિ તમે શું કહેશો?” November 1, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

“તે દિ તમે શું કહેશો?”

જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?

“Who! Where! When! Why!” October 1, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

Who made all these mountains,
And who made this blue sky!
Why those clouds make thunder!
Who makes these birds to fly!

Who gave me my body,
Who came and kindled my life!
Where from comes my laughter
And who controls my cries!

From where, came all my senses,
From where did come my mind!
I wonder how in my little mind
Both friends and foes can hide.

Whoever made this wonderful world
Does HE really like to hide?
No. But only when my ego is gone
HE will be smiling by my side.

Girish Desai

” લીખું હાયકુ ? “ September 28, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

બાળક હસે
રહે મન માતાનું
હર્ષ વિભોર

કલપ કેશે
કીધો છતંા મુખડું
લાગે ઘરડું

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું

પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ

લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?

September 23, 2007

Posted by girishdesai in : વિચાર , add a comment

જો વિચારને વણો વાણીમાં, તો જન્મે છે ભાષા
જો વણો તેને વર્તન માંહે, તો ફળે મનની આશા.

September 22, 2007

Posted by vijayshah in : વિચાર , 3 comments

પૃથ્વિ આધિન છે સૂર્યને,તેથી પ્રગટે દિન ને રાત
મન આધિન છે વૃત્તિને, તેથી પ્રગટે દ્વેષ ને રાગ

જેટલી ત્વરાથી થશો તમે કૃદ્ધ
તેટલી ત્વરાથી થાશો તમે વૃદ્ધ

અહં મરે તો મન મરે, ન રહે વાસના રહે ન મન
મન મારી નમતા શીખો,જો ચાહો કરવા સાચા નમન

પ્રભુ ને પામવા હોય તો દંડવત પ્રણામ કરી એની આગળ પડવા કરતા
મન મુકી ને એની પાછળ પડવું એ યોગ્ય ગણાય.

” સત્યં શિવં સુંદરમ્ “ September 7, 2007

Posted by vijayshah in : વિચાર , 1 comment so far

” સત્યં શિવં સુંદરમ્ ”

આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.

” યજ્ઞ યાગ “ September 5, 2007

Posted by vijayshah in : વિચાર , add a comment

ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.

” સમાચાર “ September 1, 2007

Posted by vijayshah in : વિચાર , 1 comment so far

” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?