jump to navigation

” નયનોની નજાકત ” May 21, 2007

Posted by vijayshah in : કવિતા , trackback

” નયનોની નજાકત ”

દીધું છે રૂપ અઢળક પ્રભુએ તમોને
તો શાને કરવા પડે તમારે આમ નખરાં
શાને તમે સદા અમથી દૂર ઉભા રહીને
મારો છો કાતીલ તીર નયનોનાં જબરાં.

ચલાવી તમે એ તીર નયનોનાં કાતીલ
કર્યાં અમને ઘાયલ અને સાવ નબળા
ન જાણુ શાથી આ જગત તમને કહે છે
કે નારી સ્વરૂપ તમે કહેવાઓ અબળા.

જોઇ એ નજાકત અને જોઈ એ જાદુ
જે ભર્યાં છે પ્રભુએ તમારા નયનમાં.
ગુમાવી દીધો છે મેં મુજ હૈયાનો કાબુ
તત્પર છું હું પડવા તમારા પ્રણયમાં.

થઇ આવે મનમાં કે આવી તમારી પાસે
નિહાળું મુખડું બેસી તમારી સમીપમાં.
પણ ડર લાગે મુજને મનમાહીં એવો કે
પડશે તો નહી ને થપ્પડ એક ક્ષણમાં.

Comments»

1. - May 23, 2007

વાહ સરસ તોફાની રચના ….


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.