” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? “ July 1, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? ”
ગરજ પડી ત્યારે લાંબુ ન વિચાર્યું
‘ને શત્રુને પોષ્યાં મિત્રોને નાતે,
અતિ ઘાતક શસ્ત્રો પણ શોધ્યાં
‘ને કર્યો ખર્ચ મોટો તે કાજ માટે.
આ મિત્રો,આ શસ્ત્રો,આવી ઉભાં છે
બની શત્રુ તમારા, તમારી જ સામે,
હવે ભાઇ મનમાં શાને થાયે અચંબો
કહો,હાથના કર્યાં શું હૈયે ન વાગે ?
Comments»
ખરેખર સાચી વાત કરી તમે..
પરંતુ મનુષ્ય સ્વભાવ જ એવો છે,
વિચાર્યા વિના કંઈ પણ કરવાની આદત પડી ગઈ છે..
પછી હાથના કર્યા હૈયે વાગે જ ને…