” ગીતાનો સંદેશ ” October 29, 2007
Posted by girishdesai in : કવિતા , add a commentગીતાનો સંદેશ
જો હોયે મન મહીં કદી કૃષ્ણની ખેવના
તો જીવનભર કર્મ કરતાં જ રહેવું.
અકર્મ વિકર્મથી સુખ શાન્તિ ન કદી મળે
કેવળ નિષ્કામ કર્મ કરતાં જ રહેવું.
કૃષ્ણ કોઇ વ્યકિત કે વસ્તુ નથી જાણીને
કૃષ્ણ તત્ત્વ જાણવા મથતાં જ રહેવું.
નિષ્કામ કર્મથી સિદ્ધિ સુલભ બને
છે એ જ વાત સાચી,એમ ગીતાનું કહેવું.
Add comment October 29, 2007 Edit