“પાતંજલ યોગસૂત્ર” March 6, 2009
Posted by girishdesai in : ચિંતન લેખ , 2 commentsપાતંજલ યોગસૂત્ર
આ વિશે હું કાંઇ પણ લખું તે પહેલાં મારે એક વાતની ચોખવટ કરવી જરૂરી છે કે હું નથી કોઇ પંડિત કે નથી કોઇ સિદ્ધ કે સાધુ અને તેથી જો તમે એવી આશાથી વાંચશો કે આ લખાણથી તમને આ સૂત્રોમાં છુપાયેલું રહસ્ય જાણવા મળશે તો તમે જરૂર નીરાશ થશો.કારણ તત્ત્વનું (પરમાત્મ તત્ત્વનું) જ્ઞાન મેળવવું એ અનુભવનો વિષય છે. કે જે કેવળ વાદ વિવાદથી સમજી શકાય નહીં.વળી વધારામાં પતંજલીએ વાપરેલી ભાષા સૂત્રાત્મક હોવાને કારણે સમજવી વધુ મુશ્કેલ લાગે છે.અને આમે શાસ્ત્રો અને શાસ્ત્રિઓની ભાષા સમજવી એ કપરૂં કામ છે. છતાં આપણે જો સા.બુનો (સામાન્ય બુદ્ધિનો) ઉપયોગ કરતાં રહીએ તો ઘણી વાતો સ્વચ્છ થઇ શકે છે. મોટા ભાગના વિદ્વાનો આ પાતંજલ સૂત્રમાં વર્ણવેલ છેલ્લા બે અંગોને વધુ મહત્વ આપતા હોય છે. (more…)