કેવો કૃપાળુ છે ભગવાન ! September 6, 2009
Posted by girishdesai in : કવિતા , trackbackકેવો કૃપાળુ છે ભગવાન !
મંદ મંદ વાતો પેલો વાયુ
આવી જયારે સ્પર્શે મારો વાન.
કે સુવાસ કોઇ પુષ્પ કેરી
આવી જયારે છંછેડે છે ઘ્રાણ.
વળી આલ્હાદક કોઇ સ્વર
આવી જયારે ગુંજે મારે કાન.
કે નીરખે જયારે નેત્રો મારા
મનમોહક સુંદર સ્થાન.
ત્યારે આવે વિચાર મનમાં
કે કેવો કૃપાળુ છે ભગવાન !
૬-૯-૦૯
Comments»
no comments yet - be the first?