‘વિચાર’ March 6, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment‘વિચાર’
” અહમ્ ”
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
શાને ચમકે છે વિજળી, ‘ને શાને ફૂંકાયે પવન !
કહો કોણે બનાવ્યો આ દેહ મારો, કોણે દીધું આ જીવન !
કયાંથી આવે છે હાસ્ય એમાં, કહો કયાંથી આવે છે રૂદન !
કોણે દીધી આ બુદ્ધિ મુજને, કહો કોણે દીધું છે આ મન !
જેમાં વસે સહુ શત્રુ મારા,વસે એમાં વળી મારા સ્વજન.
જેણે બનાવી આ સૃષ્ટિ સારી, કહો તે શાને છુપાવે વદન !
ભૂલ શું કીધી એણે કોઇ ? જેની લાગે છે એને શરમ ?
ભૂલ ન કીધી એણે કોઇ,ન રાખો કાંઇ મનમાં ભરમ
નીરખવા જો ચાહો એને,તો દૂર કરજો ભાઇ મનનો અહમ્
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
પારિજાત
Posted by vijayshah in : કવિતા , add a commentપારિજાત
આવી દિવાળી,આસો તણી અમાસ
છાયાં હતા ચારેકોર અંધારા.
કરી દૃષ્ટિ ઊંચી મેં જોયું જયારે
દીઠા નભમાંહે મેં ચમકતા સિતારા.
પ્રભાત થયું ‘ને રવિરાજ આવ્યા
ગભરાઇ ભાગ્યા એ સઘળાં સિતારા.
‘ને ભાગી ન શકયાં જે અતિ ત્વરાથી
તે ખર્યાં બની પારિજાત પુષ્પો રૂપાળાં.
ભરી,રવિ કિરણની રતાશ દાંડીઓમાં
ખર્યાં એ તારલા બની શ્વેત પુષ્પો.
અને હેતે વધાવી તેને મા ધરાએ
ભરી તે સહુમાં કાંઇ અનેરી ખુશબો.
ફરી ન કહેશો કદી કોઇ મુજને કે
ન આવે હાથમાં નભના એ સિતારા.
જુઓ જે ચમક હતા આભ માંહે તે
મઘમઘી રહયાં કરમાં આજ મારા.
“આત્માનો છાંયો” March 5, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment“આત્માનો છાંયો”
ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો
જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
જો હું તન નથી પણ આ તન છે મારૂં
તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?
ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?
ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.
માણસાઇ March 1, 2007
Posted by vijayshah in : કવિતા , 2 commentsમાણસાઇ
કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.
ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.
જુઓ ધર્મની આ વાડો મંાહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.
ત્યાગીને ભોગવી જાણો
Posted by vijayshah in : કવિતા , add a commentત્યાગીને ભોગવી જાણો
વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતાં ભમે તે ભૂત કેરી સ્મૃ તિમાં
કે રહે રઝળતો ભાવિ તણાં વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરા
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
શીખ ન દીધી શું એ ઇશાવાસ્યમાં ?
મનની મુરાદો February 28, 2007
Posted by vijayshah in : કવિતા , add a commentજાણ્યું ઘણું મેં ‘ ને માણ્યું ઘણું મેં
અનુભવોથી મન પેટી ભરી ભરી છે
છતાં પૂર્ણ કરવા મનની મુરાદો
લાગે પેટી સાવ ખાલી પડી છે
વ્રુદ્ધત્વ આવ્યું અહીં લાબું રહીને
જે જ્વાની હતી તે જ્વાની ગઇ છે
આવ્યો છું હું વળતી ટીકીટ કઢાવી
પણ ખબર નથી તારીખ જવાની કઈ છે
થઈ છે પૂરી મુજ મનની ઘણી મુરાદો
પણ ન જાણું કેટલી અધુરી રહી છે
કદી ન થાય પૂરી મનની બધી મુરાદો
તેથી તો જીંદગીને ખટ મધુરી કહી છે
Empty handed February 5, 2007
Posted by vijayshah in : કવિતા , 2 comments
I know the world was here
The day I was born,
And I know it will remain
Even after I am gone.
When I came, I did not bring
Even a single speck of stone.
Then what right do I have, to say,
That this world is all my own.
I know, whoever made this world
Will always take its care,
If my right it is to use it
My duty it is to share.
A simple thing in this life is that
Which everyone does know
Empty handed we all come here
And empty handed we all must go.
Girish Desai
દેહનો ખેલ February 2, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment સૃષ્ટિ છે હરિ તણી એમ મનમાં ગહી
ભાગ્યમાં જે મળે તે વહેંચીને ભોગવે
સુખ દુઃખ વિશે મનમાં સમતા ધરી
જે જીવે જગતમાં તે શાંતિ ભોગવે.
જન્મ અને મૃત્યુ તો ખેલ છે દેહના
આત્મા ન કદી જન્મ કે મૃત્યુ પામે
શિવ અને જીવ જયારે ભેગા મળે
દેહનો એ ખેલ વિરામ પામે
પવિત્ર પાણી January 27, 2007
Posted by vijayshah in : કવિતા , 2 commentsગંગા જળમાં જઇ ડૂબકી દ્દઇને
રાચે મનમાઁ “હું થયો પવિત્ર”
મૂઢતા માનવ મનની આવી
લાગે મુજને અતીવ વિચીત્ર.
નેકીથી પાડી પરસેવો,જે
કરે સ્નાન તેમં તે થાય પવિત્ર
પરસેવાના આ પાણી કરતાં
ન દ્દીઠું મે પાણી ક્યાંય પવિત્ર.
એક સિક્કો January 22, 2007
Posted by vijayshah in : કવિતા , 2 comments
જાણો જીવનને એવો એક સિકકો
કે જન્મ, મૃત્યુ છે જેના બેઉ પાસા
અને આ ઉભયની વચ્ચે રહે છુપાઇ
માનવ જીવનની આશા નિરાશા