jump to navigation

બુધિનો બંધ August 26, 2015

Posted by girishdesai in : Uncategorized , add a comment

બુદ્ધિનો બંધ
અનુભવોની ઈંટો વડે
સર્જાય છે બુદ્ધિનો બંધ.
ઊંચાઈ તેની વિવેક છે
‘ને પહોળાઈ છે સંયમ.

સત્વ,રજ,’ને તમ તણી
અધખોલી છે ત્રણ બારી.
રહે નિરંતર વહેતું
તેમાંથી વૃત્તિ કેરું વારિ.

વૃત્તિઓ કેરા આ વારિનું
અન્ય નામ તો છે વિચાર.
તે ઉપર નિર્ભર છે સદા
આપણો બધો વ્યવહાર

ગિરીશ દેસાઈ

બુદ્ધિનો બંધ August 5, 2015

Posted by girishdesai in : Uncategorized , add a comment

બુદ્ધિનો બંધ
અનુભવોની ઈંટો વડે, બંધાય છે બુદ્ધિનો બંધ
વિવેક તેની ઊંચાઇ છે, અને ચોડાઈ છે સંયમ

તન મન અને જીવન July 28, 2015

Posted by girishdesai in : Uncategorized , add a comment

જે રાખે તન સશક્ત ‘ને
ન રાખે મનમાં આસક્તિ
જીવે સદા વર્તમાનમાં
ભૂલી જાય ભૂત ‘ને ભાવી
જે જીવે જીવન આવું
તેને દુ;ખ ન શકે સતાવી

સુખ દુઃખનું ત્રાજવું April 12, 2015

Posted by girishdesai in : Uncategorized , add a comment

જે સુખ દુઃખ કેરા ત્રાજુના
બે પલ્લા રાખે સમતોલ,
તે જીવન ધન્ય ધન્ય છે
હીરા મોતીથી અણમોલ.

ગિરીશ દેસાઈ

હાયકુ April 8, 2015

Posted by girishdesai in : Uncategorized , add a comment

હા

મનહ એવ
મનુષ્યાણાં કારણં
બન્ધ મોક્ષયો

દ્વૈત પ્રકૃતિ
અદ્વૈત પુરુષ છે
દ્વિધામાં મન

વર્ણ છે ગોરો
વળી દેહ રૂપાળો
કામુક મન

માનભંગથી
અભિમાનીનું
ક્રોધિત મન

સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખી છે મન

ઈચ્છા કીધેલી
ન થઇ સફળ તો
ઉદાસી મન

વરસી વર્ષા
’ને થઈ હરીયાળી
હર્ષિત મન

છે નબળાઈ
તન મહીં તો જાણો
તેને અશક્તિ

છે નબળાઈ
મન મહીં તો જાણો
તેને આસક્તિ

ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રૂધિર લાલ

દ્રષ્ટ અદ્રષ્ટ
સ્થળ કાળ ‘ને ગતિ
છે પૂર્ણ સૃષ્ટિ

જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ સંસાર

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

હારી ગયા છો
હાર સ્વિકારિ લેજો
ભૂલો સુધારી

કુ

કેશે કલપ
કીધો છતાં મુખડું
ખાય છે ચાડી

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ખાલી

નિતી વિહોણા
ધર્મ ‘ને વિજ્ઞાન છે
સદા અધુરા

ટેવ બીડીની
પહેલા દમ થયો
પછી કેન્સર

બીયર બેલી
આદત બીયરની
આશ્ચ્રર્ય શાને

ભાવે છે ગળ્યું
પણ ડાયાબીટીસ
છે ને ઉપાધિ ?

વૃદ્ધત્ત્વ આવે
તન થાય નબળું
આ છે જીવન

મૃત્યુની વેળા
છે મનમાં મુઝારો
અધૂરી ઇચ્છા

શ્રવણ કરો
પછી મનન કરી
વર્તન કરો

ઘડપણમાં
પગ ડગમગે તો
ટેકો લાકડી

મનમાં ક્રોધ
વિવેક વિસરયો
ચલાવી ગોળી

મનની વેદી
અગ્નિ વિચાર કેરો
જીવન યજ્ઞ

આ સૃષ્ટિ તણો
અનુભવ કરવા
મળ્યું જીવન

સૃષ્ટિનું વૃક્ષ
સ્થળ કાળ ને ગતિ
તેના મૂળ છે

એક જ તત્વ
રુપ વિવિધ બને
સર્જાય સૃષ્ટિ

એક જ મન
વિવિધ વિચારથી
બદલે દ્રષ્ટિ

એક જ પ્રાણ
વિવિધ દેહ ધરે
વિવિધ પ્રાણી

એક જ બીજ
વાવીએ તો ઉગશે
એક જ વૃક્ષ

આપણે સહુ
માનીએ છીએ ઘણું
જાણીએ અલ્પ

મન શત્રુ છે ?
હાંકો ઊંધી દીશામાં
તો થશે મિત્ર

વિચાર આવે
શબ્દો નવા બનાવે
વિકસે ભાષા

ઉદર મોટું
નાભિથી નીચે બેલ્ટ
ચીંતીત મન

અગન ગોળા
ઘૂમે ગગન માંહે
વિના અધાર

આ સૃષ્ટિતો છે
શૂન્યનો શગાણર
કોણે સજાવ્યો ?

આ ધ્વનીતો છે
વાયુનો રણકાર
કોણે પુકાર્યો ?

આ અગ્નિતો છે
સૃષ્ટિનો ગરમાટો
કોણે પ્રજ્વાળ્યો?

આ પાણીતો છે
જીવનનો સંચાર
કોણે કરીયો ?

આ પૃથ્વિતો છે
પ્રાણીનો આધાર
કોણે તે દીધો?

જીવન December 9, 2014

Posted by girishdesai in : Uncategorized , add a comment

જીવન
વિચારમાંથી જન્મે છે શબ્દ
શબ્દમાંથી સમજ
સમજમાંથી વર્તન
વર્તનમાંથી આદત
આદતમાંથી ધ્યેય
ધ્યેયમાંથી કર્મ
કર્મથી ઘડાય છે વ્યક્તિત્વ
આ વ્યક્તિત્વ એ જ છે
આપણું જીવન

ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર October 28, 2014

Posted by girishdesai in : Uncategorized , add a comment

ચૈતન્ય સ્વરુપનો પૂર્ણ સ્વીકાર
ચૈતન્ય, આ શબ્દના બીજા ઘણા પર્યાય શબ્દો છે જેવા કે બ્રહ્મ, સશ્ચિદાનંદ,પરમાત્મા,જગદાધાર વગેરે વગેરે. છતાં મને સહુથી વધારે પસંદ છે ઈશાવાસ્ય ઉપનિષદમાં અપાયેલું નામ અદઃ અર્થાત ‘તે’. આપણે જે વસ્તુ કે વ્યક્તિને જાણતા ન હોઇએ તેનો ઉલ્લેખ ‘તે’ ના સંબોધનથી જ કરીએ છીએ. અને જે વસ્તુ કે વ્યક્તિ આપણી સમક્ષ હોય પણ તેનું નામ ન જાણતા હોઇએ તો તેને ‘ઈદં’ અર્થાત ‘આ’ કહી સંબોધીએ છીએ. આ ‘અદઃ’નું બીજું નામ છે પુરુષ અને ‘ઈદં’નુ બીજું નામ છે પ્રકૃતિ. ઈશાવસ્યના શાંતિ મંત્રમાં કહ્યું છે કે ‘તે’ એક પુરુષમાંથી ‘આ’ સર્વ પ્રકૃતિ ઉદ્ભવી છે. અને તે પુરુષ પ્રકૃતિની અંદર અને બહાર બધે જ વ્યાપ્ત છે. ‘તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ’ ‘તે’ના સ્વરુપનું આવું વર્ણન કર્યા પછી તેનો પૂર્ણ પણે સ્વીકાર કરવા કેવી રીતે કર્મ કરવું તે સમજાવતા કહ્યું કે “કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત શતં સમાઃ, એવં ત્વઈ ન અન્યથા અસ્તિ ન કર્મ લિપ્યતે નરે” એટલેકે આ પ્રમાણે સમજી કર્મો કરતાં કરતાં સો વર્ષ જીવવાની અશા રાખો. દરેક કર્મનું એક સામાન્ય ફળ મળે છે જેનું નામ છે અનુભવ . અને અનુભવ વિના અનુભૂતિ થવી અશક્ય છે. અને અનુભૂતિ વિનાનો પૂર્ણ સ્વીકાર પણ અસંભવ છે અને તેથી જ જીવનમાં કર્મ યોગ મહત્વનો ગણાયો છે. કર્મયોગ કરવાની સાચી રીત બતાવતા છાન્દોગ્ય ઉપનિષદમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસ ઉપર ભાર મુકાયો છે. તો આ શ્રવણ, મનન અને નિદિધ્યાસ શું છે અને તેને કર્મયોગ કેવી રીતે કહેવાય તે મારી સમજ પ્રમાણે અહીં રજુ કરું છું. અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. મારી દ્ર્ષ્ટિએ એનો અર્થ છે આપણી પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ ગ્નાનેન્દ્રિયોથી મળતા અનુભવો કે જેનાથી આપણે આપણુ અંતઃકરણ ઘડતાં રહીએ છીએ. અને મનમાં ઉભરાતા આ અનુભવો શાથી થયાં, તે સારા હતા કે ખોટા, ફરીથી એવો અનુભવ કરવાની ઇચ્છા થાય કે નહીં, તેનો બુદ્ધિ પૂર્વક ઉકેલ લાવવો એ છે મનન, અને આ ઉકેલ પ્રમાણે આપણા વર્તનમાં જરુરી ફેરફાર કરવા એ છે નિદિધ્યાસ. આપણા દરેક કર્મમા આ ત્રણે ક્રિયાઓ અગત્યની છે. કારણ કે

શ્રવણં,મનનં,નિદિધ્યાસં કૃત્વા ત્રયો તત ભવતિ વિકાસં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા એકોપિ ભવતિ વિકારં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં ત્યક્તવા ત્રયો તત ભવતિ વિનાશં

પરપોટો
તળાવ કેરે તળિએ એક દિ, થયો નાનો પરપોટો,
ધીરે ધીરે ઉપર આવ્યો ને થતો ગયો એ મોટો.
જોવાદે ઉપર જઈ મુજને કે કોણ છે મુજથી મોટો,
એમ વિચારી કર્યું ડોકિયું,ત્યાંતો દેહ એનો છૂટ્યો.

દેહ જુઓ આ પરપોટાનો આભાસ છે કેવો ખોટો,
જો ન હોય પાણી ચારે કોરે તો બને શું કદિ પરપોટો ?
સંસાર કેરા સાગર માહીં, આ દેહ છે એક પરપોટો
જો ન હોત ચૈતન્ય ચારે કોરે તો થાત કેમ નાનેથી મોટો.

“સંશયાત્મા વિનશ્યતિ.” December 30, 2013

Posted by girishdesai in : Uncategorized , add a comment

Home

જોડણી વિશે

તેનું જીવન થયું ધન્ય ધન્ય

સ્વાગત અને મારો પરિચય-

——————————————————————————–

જીવન જીવવા માટે શ્વાસની જેટલી જરુરત છે તેટલી જ જીવનમાં પ્રગતિ કરવા વિશ્વાસની જરુરત છે. વિશ્વાસના મુખ્ય બે પ્રકાર છે. એક છે આત્મવિશ્વાસ અને બીજો છે અન્ય વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો વિશ્વાસ. શ્વાસ ક્યાં સુધી આપણને સાથ આપશે તે તો આપણા પ્રારબ્ધ ઉપર અધાર રાખે છે, છતાં શ્વાસ ઉપર એટલો વિશ્વાસ તો જરુર રાખી શકાય કે તે એક દિવસ આપણને મુકીને અદ્રષ્ય થઇ જશે. પરંતુ વિશ્વાસ ક્યાં સુધી ટકશે એ તો આપણા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, આપણે મનમાં રહેલ સંશયોનું કેટલા પ્રમાણમાં સમાધાન કર્યું છે તે ઉપર આધાર રાખે છે. એટલે જ ગીતામાં કહ્યું છે કે “સંશયાત્મા વિનશ્યતિ.” તો આ સંશય એટલે શું ? અને આપણા જીવનમાં એનું પ્રયોજન શું? એ એક ઉદાહરણથી સમજવું સરળ થશે. જેમ આપણા દેહની પુષ્ટિ માટે આપણો દેહ ભૂખ અને તરસના સંદેશા મોકલતો રહે છે જેને માન આપી આપણે અન્ન જળ લેતાં રહીએ છીએ. આ અન્ન જળનું જઠરમાં પચન થતાં દેહ પોશક તત્વો સ્વિકારી બીનજરુરી કચરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે પણ જો તેમાં તે સફળ ન થાય તો રોગનો ભોગ બની દેહનો વિનાશ કરે છે. તેમ જ આપણું મન આપણી ઇદ્રીઓ દ્વારા કુતૂહલતાના સંદેશા મોકલતું રહે છે અને તેને માન આપી આપણે વિચાર (સંશોધન) કરતા રહીએ છીએ. આ વિચારોનું બુદ્ધિમાં જ્યારે મનન થાય છે ત્યારે સાચી વાત સમજાય છે પરંતુ છતાં જો મનન પછી કોઈ સંશય આર્થાત કોઈ વહેમ રુપી કચરો શેષ રહી જાય તો મન અશાંતિનો ભોગ બને છે. આવા વહેમી મનને જ ગીતામાં ‘સંશયાત્મા’ કહ્યો છે. સંશય એટલે મનનો ખોરાક અને જેનું બુદ્ધીમાં પચન (મનન) થયા પછી પણ વહેમનો કચરો બહાર ન ફેંકાયો હોય એવો આત્મા તે ‘સંશયત્મા’.

સંશયના બે અર્થ છે.

૧ સંશય = આશ્ચર્ય કે કુતૂહલ જે મનનો સ્વાભાવિક ખોરાક છે.

૨ સંશય = વહેમ,અજ્ઞાન,અંધશ્ર્દ્ધા માનનો મેલ.

Vassanas and Instincts. December 2, 2013

Posted by girishdesai in : Uncategorized , add a comment

Vassanas and Instincts.

Vassanaas breed Intentions,
And Instincts breed urge.

When intentions and urges die.
With the SELF a mind can merge

“સંશયાત્મા વિનશ્યતિ.” November 29, 2013

Posted by girishdesai in : Uncategorized , add a comment

“સંશયાત્મા વિનશ્યતિ.”
જીવન જીવવા માટે શ્વાસની જેટલી જરુરત છે તેટલી જ જીવનમાં પ્રગતિ કરવા વિશ્વાસની જરુરત છે. વિશ્વાસના મુખ્ય બે પ્રકાર છે. એક છે આત્મવિશ્વાસ અને બીજો છે અન્ય વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો વિશ્વાસ. શ્વાસ ક્યાં સુધી આપણને સાથ આપશે તે તો આપણા પ્રારબ્ધ ઉપર અધાર રાખે છે, છતાં શ્વાસ ઉપર એટલો વિશ્વાસ તો જરુર રાખી શકાય કે તે એક દિવસ આપણને મુકીને અદ્રષ્ય થઇ જશે. પરંતુ વિશ્વાસ ક્યાં સુધી ટકશે એ તો આપણા પુરુષાર્થ ઉપર આધાર રાખે છે, આપણે મનમાં રહેલ સંશયોનું કેટલા પ્રમાણમાં સમાધાન કર્યું છે તે ઉપર આધાર રાખે છે. એટલે જ ગીતામાં કહ્યું છે કે “સંશયાત્મા વિનશ્યતિ.” તો આ સંશય એટલે શું ? અને આપણા જીવનમાં એનું પ્રયોજન શું? એ એક ઉદાહરણથી સમજવું સરળ થશે. જેમ આપણા દેહની પુષ્ટિ માટે આપણો દેહ ભૂખ અને તરસના સંદેશા મોકલતો રહે છે જેને માન આપી આપણે અન્ન જળ લેતાં રહીએ છીએ. આ અન્ન જળનું જઠરમાં પચન થતાં દેહ પોશક તત્વો સ્વિકારી બીનજરુરી કચરાનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે પણ જો તેમાં તે સફળ ન થાય તો રોગનો ભોગ બની દેહનો વિનાશ કરે છે. તેમ જ આપણું મન આપણી ઇદ્રીઓ દ્વારા સંશયોના સંદેશા મોકલતું રહે છે અને તેને માન આપી આપણે વિચાર (સંશોધન) કરતા રહીએ છીએ. આ વિચારોનું બુદ્ધિમાં જ્યારે મનન થાય છે ત્યારે સાચી વાત સમજાય છે પરંતુ છતાં જો મનન પછી કોઈ સંશય આર્થાત કોઈ વહેમ રુપી કચરો શેષ રહી જાય તો મન અશાંતિનો ભોગ બને છે. આવા વહેમી મનને જ ગીતામાં ‘સંશયાત્મા’ કહ્યો છે. સંશય એટલે મનનો ખોરાક અને જેનું બુદ્ધીમાં પચન (મનન) થયા પછી પણ વહેમનો કચરો બહાર ન ફેંકાયો હોય એવો આત્મા તે ‘સંશયત્મા’.
સંશયના બે અર્થ છે.
૧ સંશય = આશ્ચર્ય કે કુતૂહલ જે મનનો સ્વાભાવિક ખોરાક છે.
૨ સંશય = વહેમ,અજ્ઞાન,અંધશ્ર્દ્ધા માનનો મેલ.આવો સંશય આવો મનનો મેલ જ મનનો વિનાશ નોતરે છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.