કરમોનાં લીસોટા January 4, 2007
Posted by vijayshah in : વિચાર , add a commentમન સરોવરમાંહે ઉભરાયે,
વિચાર કેરા પરપોટા
‘ને ચાલતા એ પરપોટાને ચીલે
થાયે કર્મો, કઇ સારા,કઇ ખોટા.
મૃત્યુ થશે ‘ને સરોવર સુકશે
નહીં ઉભરાયે પરપોટા
છતાં નહીં ભૂસાયે મૃત્યુ પછી પણ
કીધેલા એ કર્મોના લીસોટા.