” સ્વર્ગ કે નરક “ April 12, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” સ્વર્ગ કે નરક ”
મૃત્યુ પછી કોઇ આવે, કહેવા શું પાછું,
કે છે દુઃખ નરકે, ને સ્વર્ગમાં સુખ સાચું ?
મૃત્યુ પછી નહીં પણ અહીંયા જ, આજે
મળે સ્વર્ગ કે નરક, કરી કર્મ સારૂં કે નઠારૂં.
જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.
તો આવવું પડશે તેને તમારી સાથે
જે દી થશે ભાઇ મૃત્યુ તમારૂં.
તો સ્વર્ગ કે નરકમાં કયાં લઇ જશે તે ?
વિચારો, કહો હવે શું કહે છે મન તમારૂં.
Comments»
જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.
ભગવાન તો અંદર પૂરાયેલો જ છે. તેને તાળામાંથી બહાર કાઢવાનો છે !