“થશે કેમ કરી ઉદ્ધાર “ June 15, 2007
Posted by vijayshah in : Uncategorized , add a comment“થશે કેમ કરી ઉદ્ધાર ”
જે ભગવા પહેરીને ભાષણ ફાડે, તેને પૂજે લોકો ગણી સંત
કરી મજુરી જે પહેરે ચીંથરા,તેની ક્ષુધાનો ન આવે કદી અંત.
કોલેજ જઇને શીક્ષણ લીધું,પણ જયાં રહે ત્યાં રાખે ગંદકી
સફાઇ કરવામાં નાનમ આણે,માને કહી જશે મને કોઇ ભંગી.
ગરજ હોય તો સમય સાચવે,નહીતો પડે અવશ્ય મોડા
પૂજા ટાણે ન દેખાએ કયાંયે,પણ પ્રસાદ ટાણે સૌથી પહેલા.
આવી આવી ઘણી કૂટેવો મારામાં પણ છે કાફી
છતાં કહું છું બોલ કડવા તેથી માગું છું સહુની માફી.
રીત રસમો ચાલી આવે છે,ન સુધર્યા આપણે તલભાર
તો કહો ભાઇઓ,આપણ સહુનો થશે કેમ કરી ઉદ્ધાર.