jump to navigation

” સનાતન ધર્મ “ July 11, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , trackback

” સનાતન ધર્મ ”

સનાતનનો અર્થ છે શાશ્વત કે નિત્ય અથવા આદિ અને અંત વગરનું. અને ધર્મ ની વ્યાખ્યા છે “ધારયતિ ઇતિ ધર્મ ” એટલે કે જે ધારણ કરે છે અર્થાત કે જે આધાર આપે છે તે ધર્મ .ધર્મ છે કોને આધાર આપે છે ? આ સારી સૃષ્ટિને અને તેમાં રહેલા તમામ જડ અને ચેતન તત્ત્વોને. આ જગત જેના આધારે ટકી રહયું છે એ જ સાચો સનાતન ધર્મ .બાકી ધર્મ ને નામે ઓળખાતાં હિન્દુ, મુસ્લિમ,ખ્રીસ્તિ,બાૈધ્ધ વગેરે વગેરે તો આ સનાતન ધર્મ ના અલગ અલગ પંથ છે અથવા કહો કે અલગ અલગ વાડા છે.
સનાતન ધર્મ સૃષ્ટિના તમામ જડ અને ચેતન પદાર્થો અને તેમને ગતિમાન કરતી વિવિધ શકિતઓને આવરીલે છે. સનાતન ધર્મ એટલે સૃષ્ટિના ભૌતિક અને આધ્યાત્મિક અચળ નિયમો. આ નિયમોને આધારે જ જડ વસ્તુની જડતા, માનવીની માનવતા, પ્રવાહીનો પ્રવાહ અને પશુની પશુતા જળવાઇ રહે છે. આ નિયમોને આધારે જ વાયુ, સૂર્ય, તારા, ગ્રહો અને નિહારિકાઓ ગતિમાન થાય છે અને ગતિમાં રહે છે.આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સજ્રન થયું. આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સંચાલન થાય છે અને તેમના આધારે જસૃષ્ટિનો સંહાર પણ થશે. અર્થાત સૃષ્ટિના સર્જન પહેલાં પણ આ નિયમો હતાં આજે પણ છે અને સૃષ્ટિના વિલય બાદ પણ રહેશે જ. એટલે કે આ નિયમો – આદિ કે અંત વગરના- સનાતન છે. આ નિયમોનું અસ્તિત્વ “સંભૂતિ” એટલે જ ઇશ્વર.સર્જનના નિયમો એટલે જ બ્રહ્મા, સંચાલનના નિયમો એટલે જ વિષ્ણુ અને સંહારના “વિલયના” નિયમો એટલે જ મહેશ આપણા શરીરમાં હર પળે નવા કોષોનું “સેલ્સનું ” સર્જન, તેમનું સંચાલન અને તેમનો સંહાર થતાં રહે છે. આ પ્રમાણે આપણાં જન્મથી મૃત્યુ પર્યન્ત હર પળે આપણાં શરીરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અભિવ્યકિત થતી રહે છે.
આ નિયમોમાંથી કેટલાંક નિયમો મનુષ્યને માટે બુદ્ધિગમ્ય છે, પરંતુ કેટલાં એવા પણ છે કે જે એની બુદ્ધિથી પર છે. બુદ્ધિગમ્ય નિયમોના કાર્ય અને કારણોનું વિશ્લેષણ એટલે વિજ્ઞાન.જે નિયમો બુદ્ધિથી પર છે તેનું વિશ્લેષણ તો કેવળ શ્રદ્ધાથી જ થઇ શકે છે. શ્રદ્ધાથી કુદરતના નિયમો સમજવાનો આ પ્રયાસ એટલે ધર્મ. બુદ્ધિથી સમજાય તે વિજ્ઞાન અને શ્રદ્ધાથી સમજાય તે ધર્મ.
મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાના પ્રકાર અને પ્રમાણ દરેક વ્યકિતમાં જુદા જુદા હોય છે.એટલું જ નહી પરંતુ દરેક વ્યકિતના જીવન દરમિયાન તે બદલાતાં રહે છે. વ્યકિતની બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસનો આધાર એના સંસ્કાર, એના સંજોગ,એની સોબત તથા એના શિક્ષણ ઉપર અવલંબે છે. દરેક વ્યકિત પોતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસાર કોઇ બીજી વ્યકિત કે વાદ ઉપર વિશ્વાસ મૂકવા માંડે છે. અને તે વ્યકિત કે વાદે ચીંધેલા માર્ગે ચાલવા લાગે છે. વળી કદીક તે આવી વ્યકિતને ગુરૂ તરીકે પણ અપનાવી લે છે, અને આવા વાદને તે પોતાનો ધર્મ માની તે પંથે ચાલવા લાગે છે. જેવા કે હિન્દુ મુસ્લિમ વગેરે વગેરે. અને પોતાને મન ગમતો આ વાદ, આ પંથ, આ ધર્મ સચવાઇ રહે તે માટે એની ચારે બાજુ વહેમ અને રીત રિવાજોની એક અભેદ્ય દીવાલ ઉભી કરે છે. આ કારણે જ તે મંદિર, મસ્જીદ, ચર્ચ વગેરે વગેરે ઉભાં કરે છે.એટલું જ નહી પણ આ દીવાલોથી પોતે સ્વિકારેલા ધર્મની રક્ષા કરવામાં તે પોતાના જીવનની સાર્થકતા માને છે, અને એની પાછળ એટલો સમય વ્યતીત કરે છે કે તેને પોતાનામાં રહેલ ઇશ્વરદત્ત માણસાઇ શું છે તેનો વિચાર કરવાનો જરા પણ સમય નથી મળતો.પોતાના માનેલા આવા ધર્મની રક્ષા ખાતર તે બીજાઓનાં ગળા રહેંસતાં જરા પણ ક્ષોભ,સંકોચ કે શરમ નથી અનુવતો. ધર્મ શું છે તે સમજયા વગર જ ધર્મયુદ્ધ કરવા તત્પર થઇ જાય છે.અને એમાં ગૌરવ પણ લે છે.
કોઇ પણ પશુ પોતાની સ્વેચ્છાથી પોતાની સ્વભાવ જન્ય “ઇશ્વરદત્ત” પશુતા ત્યજી શકે ખરૂં ? કોઇ જડ પદાર્થ પોતાની જડતા ત્યજી શકે છે શું ? પ્રવાહી પોતાનો પ્રવાહ ત્યજી શકે ખરૂં ? એક મનુષ્ય જ એવું પાણી છે કે જે પોતાની સ્વભાવ જન્ય માણસાઇ ભૂલી શકે છે.અને છતાં પોતાને બુદ્ધિમાન ગણાવે છે. જો કે એ વાતતો સાચી છે કે, જો એનામાં બુદ્ધિ ન હોત તો એ માણસાઇ ભૂલી શકત જ નહી. યાદ રાખવું અને ભૂલવું એતો બુદ્ધિ નો ધર્મ છે. અને મનુષ્યનો ધર્મ “ફરજ ” છે તેને કેળવીને કાબુમાં રાખવાનો. જો તે આમ ન કરી શકે તો તેમાં વાંક બુદ્ધિનો નહી પરંતુ મનુષ્યનો જ ગણાય. તેણે માની લીધેલા તેના ધર્મનો જ ગણાય.
સૃષ્ટિને માણવા માટે ઇશ્વરે મનુષ્યને દેહ આપ્યો છે પરંતુ સૃષ્ટિને જાણવા,સમજવા, સારૂં ઇશ્વરે તેને ચિત્ત,મન અને બુદ્ધિ આપ્યાં છે.સૃષ્ટિનો તાગ કાઢવા આ શરીર તો સમર્થ નથી જ અને તેથી જ ઇશ્વરે મન અને બુદ્ધિના વિસ્તાર તથા ગતિ એટલાં વિશાળ ક્રર્ર્યા છે કે આ સારી સૃષ્ટિતેમાં સમાઇ જાય અને સૃષ્ટિના કોઇ પણ ખૂણામાં તે એક ક્ષણ માત્રમાં પહોંચી જાય.આ મન અને બુદ્ધિ દશે દિશામાં અબાધિત ભટકી શકે છે.આમ ભટકવું એતો જાણે એમનો સ્વભાવ છે,ધર્મ છે,અથવા કહો કે તેમને માટે આ મૂળભૂત નિયમ “સનાતન ધર્મ” છે. જો તેઓ આમ ભટકી ન શકે તો સૃષ્ટિનો ખૂણે ખૂણો કેમ કરી ખૂંદી વળે ! આપણે આગળ જોયું તેમ માણસ એની માણસાઇ ભૂલે છે એનું કારણ તે પોતાની બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે તે ઉપર આધાર રાખે છે.
હવે બુદ્ધિનો કેવો ઉપયોગ કરવો જોઇએ તે સમજવા સારૂં આ ચિત્ત, મન અને બુદ્ધિ શું છે અને એમનો એક બીજા સાથેનો સંબંધ “વ્યવહાર” કેવો છે તે સમજવું બુદ્ધિ એટલે નદીના કાંઠા કે જે ખડકો અને પથ્થરો ના બનેલા હોય છે. આ નદીનું નામ રાખીશું ” મનો- નદી”. જેમ નદીના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતા પથ્થરો ઉપર આધાર રાખે છે તેમ જ આ “મનો- નદી”ના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતાં બુદ્ધિ રૂપી પથ્થરો ઉપર આધાર રાખે છે.જો પથરા મોટા અને ભારે હોય તો તે પ્રવાહને અમુક દિશામાં જતો રોકી એની દિશા જરૂર બદલી શકશે. પરંતુ જો એ પથરા નાના અને હલકા હોય તો ? તો પ્રવાહની સાથે સાથે તે પણ તણાઇ જાય એમાં કોઇ શંકા નથી.આમ જ જે બુદ્ધિ ભારે એટલે કે તીવ્ર અને કેળવાયેલી હશે તે મનના પ્રવાહને અમુક જ દિશામાં વહેવા દેશે.અને એના વેગને પણ ખાળી શકશે.પરંતુ આ બુદ્ધિ જો નાના કાંકરા જેવી અર્થાત મંદ અને બીન કેળવાયેલી હોય તો તે મનના પ્રવાહમાં કયાંય તણાઇ જાય તો તેમાં નવાઇ શું !
હવે ચિત્ત અને મનનો એક બીજા સાથે કેવો સંબંધ છે તે વિચારીએ. નદીનો પ્રવાહ જેમ પવ્રતમાં સંઘરાયેલા પાણી ઉપર આધાર રાખે છે તેમ મનનો પ્રવાહ ચિત્ત રૂપી પવ્રતમાં સંઘરાયેલ વાસના રૂપી પાણી ઉપર આધાર રાખે છે. વર્ષાનંુ પાણી જેમ પવ્રતના ખાડા અને કોતરોમાં ભરાઇ રહે છે અથવા તો તેના ઊંચાં શિખરો ઉપર ઠરી ને બરફ રૂપે જમા થાય છે તેમ જ જન્મો જન્મની વાસનાઓ રૂપી વર્ષાનું પાણી ચિત્તના ખાડા અને કોતરોમાં જમા થાય છે યાતો એના શિખરો ઉપર વાસનાનો બરફ બની થીજી જાય છે. ચિત્ત રૂપી આ પવ્રતમાં કામ,કોધ,લોભ,મોહ,મદ્દ અને મત્સર નામના છ મોટાં કોતરો છે જેમાં જન્મો જન્મની વાસનાનું પાણી ભરાઇ રહે છે.આ બધાં કોતરોમાં વ્યવસ્થિત રીતે બુદ્ધિના પથ્થરો વડે પૂરાણ કરવામાં આવે તો વાસનાનું પાણી તેમાં જમા ન થતાં એક નાનો વહેળો બની વહી જાય અને થોડા સમયમાં જ સુકાઇ પણ જાય.તેનો સંગ્રહ ન થાય. બુદ્ધિથી કામ ક્રોધાદિના આ કોતરો તો પૂરી શકાય પરંતુ ચિત્તના શિખરો ઉપર થીજેલા પેલા વાસનાનાં બરફને કેમ કરી દ્દૂર કરાય ? ઇશ્વરે આટલા સારૂં જ મનુષ્યને એક શસ્ત્ર પણ આપ્યું છે. આ શસ્ત્ર એટલે જ શ્રદ્ધા. આ શ્રદ્ધાના સૂર્યથી વાસનાનો બધો બરફ ઓગાળી શકાય. આ શ્રદ્ધા એક એવું શસ્ત્ર છે કે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરતાં આવડી જાય તો બસ બેડો પાર થઇ જાય. બુદ્ધિકરતા શ્રદ્ધાની શકિત ઘણી અધિક છે તેથી જ ગીતામાં કહયું છે કે ” શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં” શા માટે એમ ન કહયું કે ” બુદ્ધિમાન લભતે જ્ઞાનં ” કારણ એ છે કે બુદ્ધિ અહંને પોષે છે જયારે શ્રદ્ધા અહંને શોષે છે. છતાં બુદ્ધિ ની સહાય વિના શ્રદ્ધાનું શસ્ત્ર વાપરવું એ અતિ મુશ્કેલ છે. કારણ બુદ્ધિ વિનાની શ્રદ્ધા એ ધાર વિનાની તલવાર બરાબર છે. સાચું પૂછો તો શ્રદ્ધા એટલે ધનુષ્ય અને બુદ્ધિ એટલે બાણ. આ બેઉ એક બીજાં વગર બીલકુલ પાંગળાં છે. બીલકુલ નાકામયાબ છે. બુદ્ધિથી ઉભરાતા અહંકારનો નાશ કરવા શ્રદ્ધા અનિવાર્ય છે અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં, વહેમમાં,ન પરિણમે તે માટે બુદ્ધિ અતિ અનિવાર્ય છે. બીજું એ કે પ્રકૃતિનો પરિચય, અનુભવ, કરવાં જેમ બુદ્ધિ આવશ્યક છે તેમ પુરૂષની પ્રતિતી કરવા શ્રદ્ધા આવશ્યક છે.બુદ્ધિ અને શ્રદ્ધાના સહકારથી જ ભકિત ઉદભવી શકે. અને આ ભકિત જ ધનુષ્યની પણછનું કામ સારે.વળી બીજી દ્રષ્ટિએ જોતાં મને એમ લાગે છે કે આ બુદ્ધિ, શ્રદ્વા અને તેમનાં સુમેળથી જન્મેલી ભકિત, આ ત્રણે બ્રહ્મવિદ્યાની ગાદીનાં ત્રણ મૂખ્ય પાયા છે અને તેની ઉપર બ્રહ્મજ્ઞાની સ્થિરતાથી પોતાનું આસન જમાવે છે.જો આ ત્રણમાંથી કોઇ પણ એક પાયો ડગમગતો હશે તો તેનું બ્રહ્મજ્ઞાન પણ ડગમગતું જ રહેવાનું. અપૂર્ણ જ રહેવાનું.
હવે પશ્ન એ છે કે જેમાંથી ભકિત જન્મે છે તે બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસ માટે મનુષ્યએ શું કરવું જોઇએ? આ અગાઉ મેં ઉલ્લેખ કર્યો હતો કે મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાનો આધાર તેનાં સંસ્કાર, તેનાં સંજોગ, તેની સોબતો અને તેનાં શિક્ષણ ઉપર છે.પરંતુ બુદ્ધિનો વિકાસ વિશેષતઃ, તેનાં શિક્ષણ અને તેની સોબતો ઉપર આધારીત છે, જયારે તેની શ્રદ્ધાનો વિકાસ વિશેષતઃ તેનાં સંસ્કાર અને તેનાં સંજોગો ઉપર આધાર રાખે છે.આનો અર્થ એ થયો કે બુદ્ધિ વર્તમાન જન્મના કર્મોથી વિકસે છે વત્ર્તમાન જીવનમાં જો સારી સોબતો રાખી સારૂં શિક્ષણ મેળવીએ તો બુદ્ધિનો સારો વિકાસ થાય એમાં કોઇ શંકા નથી.પરંતુ શ્રદ્ધાના વિકાસ માટે જરૂરી એવા સંસ્કાર અને સંજોગો, જે પૂર્વ જન્મના ફળ,પ્રારબ્ધ,રૂપે મળે છે,તે સારા હોવા અતિ આવશ્યક છે.
વર્તમાન જન્મનાં કર્મોથી જ આપણે આપણાં ભાવિ જન્મનંુ પ્રારબ્ધ ઘડીયે છીએ.આપણાં ભાવિ જીવનનાં ઘડવૈયા તો આપણે જ છીએ ને ? તો આ જન્મમાં સારી સોબતો રાખી એટલે કે સત્સંગ કરી સારૂં શિક્ષણ મેળવવીએ તો ભાવિ જન્મના સંસ્કરો અને સંજોગો સુધારી શકીએ એમ માનવામાં કાંઇ જ ભૂલ નથી. એટલા માટે તો શાણાં લોકો શિખ દ્દે છે કે “ભાઇ, ક્ર્મો એવાં કરો કે જેથી પરલોક સુધરે” આ પરલોક એટલે જ ભાવિ જીવન. આ પ્રમાણે વર્તમાનમાં સત્સંગ અને સતકર્મો કરી ભાવિ જન્મના સંસ્કરો ઘડવા કે જેને આધારે નવા જન્મમાં શ્રદ્ધાનો ઉદ્દ્ભવ થાય.આ પ્રમાણે શ્રદ્ધાનો પાયો મજબૂત કરવા કેટલા જન્મ જોઇએ એતો ઇશ્ચર જાણે.પરંતુ એટલંુ તો ચોકકસ કે આ જન્મમાં જેટલા પ્રમાણમાં પ્રગતિ કરીએ તેટલા પ્રમાણમાં જન્મ ઓછાં લેવા પડે.આ ઉપરથી એક એ વાત તો સમજાશે કે કર્મ કર્યા વિના બુદ્ધિ વધે નહી અને બુદ્ધિ વિના શ્રદ્ધા પણ ઘડાય નહી બીજી વાત એ કે ભૂત, વર્તમાન અને ભાવિ જીવનનો પંથ આપણાં વર્તમાન જીવનના કર્મોથી જ ઘડાય છે. વળી વર્તમાન તો ભૂત અને ભાવિને જોડતો રસ્તો છે. વર્તમાન વિના ભૂત અને ભાવિ સંભવે જ નહી. તમે એક પણ એવંુ ગામ જોયંુ કે જાણ્યંુ છે કે જયાં જવાનો કોઇ રસ્તો જ ન હોય ? જો રસ્તો ન હોય તો ગામ પણ ન હોય.ગામ ઉભુ કરવા ત્યાં જવાનો માર્ગતો જોઇએ ને ? બુદ્ધિઅને શ્રદ્ધાને સંાકળવા એક જ માર્ગ છે,અને તે છે વર્તમાનનો કર્મ માર્ગ-કર્મ યોગ. મનુષ્ય એના ધ્યેય ઉપર પહોંચી શકશે કે નહી તેનો આધાર તે આ કર્મ માર્ગ ઉપર કઇ દિશામાં પ્રવાસ કરે છે તે ઉપર છે. આ દિશા એટલે કર્મ કરવાનો હેતુ કે આશય કે ઇચ્છા. ધ્યેય પ્રાપ્તિ કે ફળ પ્રાપ્તિ કર્મ ઉપર નહી પરંતુ કર્મ કરવાના હેતુ ઉપર આધાર રાખે છે. અને મનુષ્યને બંધન પણ આ હેતુથી જ થાય છે કર્મથી નહી. આ જન્મનાં કર્મોનો હેતુ અર્થાત ઇચ્છા જો ફળીભૂત ન થાય તો તે પારબ્ધનો અંચળો ઓઢી ભાવિ જીવનમાં સંસ્કાર અને વાસના બની જરૂર ડોકીયાં કરે છે. જેવાં જેનાં હેતુ તેવાં તેનાં સંસ્કાર,અને જેવાં જેનાં સંસ્કાર તેવી તેની શ્રદ્ધા. આ ઇચ્છાના, આ આશયના, આ હેતુના સારા કે ખોટા જે ફળ મળે તે સ્વિકારી લેવામા જ મનુષ્યની સાચી બુદ્ધિમાની છે. આ કારણથી જ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહયંુ છે કે, હે અર્જુન,
કમ્રણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુ;ભૂ્ઃમા તે સંગોઅસ્ત્વકમ્રણિ
કર્મનંુ ફળ મેળવવાનો હેતુ ન રાખ અને અકર્મનો સંગ પણ ન કર એટલે કે ફળની ઇચ્છા ન રાખ અને કર્મ નથી કરવંુ એવી દાનત પણ ન રાખ. કારણ કે મેં તને શરીર,બુદ્ધિ અને મન આપીને કર્મ કરવાની લાયકાત તો આપી છે પરંતુ કયા કર્મનંુ ફળ કેવંુ અને કયારે મળશે તેનો નિર્ણય કરવાની લાયકાત મેં તને નથી આપી.મનુષ્ય, કે જે સવારની વાત સાંજ સુધી યાદ નથી રાખી શકતો તે, કયંુ કર્મ તેણે કયારે કર્યું અને તેનંુ કેવંુ ફળ તેને કયારે મળ્યંુ તે કેમ કરી નકકી કરી શકે ? એ નકકી કરવાનો એને અધિકાર નથી . એનામાં એ લાયકાત નથી. ઇશાવાસ્ય ઉપનિષદમાં પણ કહયંુ છે કે
કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ
એવં ત્વયિ નાન્યતેથોસ્તિ ન કર્મ લિપ્યતે નરે
એટલે કે કર્મ ફળની આશા રાખ્યા વગર પૂરા સો વર્ષનંુ આયખંું ભોગવવાની મનોવૃત્તિ રાખી કર્મ કરતાં રહો તો કર્મનું લેપન નથી થતંુ. આવાં કર્મોની ભાવિ જીવન ઉપર કાંઇ અસર થતી નથી. ફળની ઇચ્છા રાખીએ તોજ તે સફળ કે નિષ્ફળ થવાનો સંભવ રહે છે ને ? ઇચ્છા હોય તો જ વાસનામાં પરિણમે ને ? કેવળ નિષ્કામ વૃત્તિથી ઘડાયેલ બુદ્ધિ અને શ્રદ્ધા જ સાચા જ્ઞાન તરફ દોરી જાય છે.
સરાંશ એટલો જ કે જ્ઞાન માટે શ્રદ્ધા,શ્રદ્ધા માટે બુદ્ધિ,બુદ્ધિ માટે કર્મ,કર્મ માટે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો માટે દેહ અતિ આવશ્યક છે.અને એટલા માટે જ ઇશ્વર આપણને દેહ પછી દેહ આપતો જ રહે છે. જ્ઞાન પૂર્ણ થતાં જ નવો દેહ મળવાનંુ બંધ થાય છે. યાને કે મુકિત મળે છે. આમ જો ઇન્દ્રિયોથી નિષ્કામ કર્મ કરી બુદ્ધિ અને શ્રદ્ધાને સારી રીતે વિકસાવવામાં આવે તો જ્ઞાન પૂર્ણતાએ પહોંચતાં ઇશ્વર શંુ છે તે સમજાય.અને જેને કારણે ઇશ્વરનંુ રહસ્ય છતંુ થાય,જેને કારણે સૃષ્ટિના સર્જન,સંચાલન અને સંહારના નિયમો સમજાય તે જ સાચો ધર્મ. તે જ સનાતન ધર્મ.
ઇતિ

Comments»

1. - July 13, 2007

Nice article. I hope you have read Bhandev’s books.

1. Adhyatm vidya
2. Apano vahaalo hindu dharm.

they are availabe from Pravin prakashan- Rajkot.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.