” સત્યં શિવં સુંદરમ્ “ September 7, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” સત્યં શિવં સુંદરમ્ ”
આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.
” યજ્ઞ યાગ “ September 5, 2007
Posted by vijayshah in : વિચાર , add a commentચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.
” ઇચ્છા “ September 3, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment “ઇચ્છા”
જો રાખીયે ઇચ્છા મન મહીં
તો તે ફળે કે નિષ્ફળ જાય,
તે ફળતાં તો સુખ માંણીએ
‘ને નિષ્ફળ જાતાં દુઃખ થાય.
પરંતુ
જો ઇચ્છા ન હોયે એક પણ
તો જીવન કહો કેમ જીવાય !
તો ઇચ્છા એક જ રાખવી કે
હરિ ઇચ્છાથી બધું થાય.
” સમાચાર “ September 1, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?