“વિચારના વહેણ” December 11, 2007
Posted by girishdesai in : કવિતા , add a commentવિદીત થાય વિશ્વ આ વિચારના વહેણમાં
વિચાર શમતાં જ વિશ્વ વિસરાઇ જાયે.
વિચાર તો વહેણ છે જીવન સરિતા તણું
વમળ પાપ પુણ્યના એ વહેણ માંહીં થાયે.
જો ખાળો એ વહેણને બુદ્ધિના બંધથી
તો વમળ પાપ પુણ્યના વિખરાઇ જાયે.