ગીતા હિન્દુ ધર્મનું શાસ્ત્ર કહેવાય ? March 13, 2008
Posted by girishdesai in : Uncategorized , trackback‘હા’ અને ‘ના’. હા એ દ્રષ્ટિએ કે હિન્દુઓએ તેને અપનાવી લીધી છે.અને ના એ દ્રષ્ટિએ કે જયારે ગીતાની રચના થઇ ત્યારે હિન્દુ જેવો શબ્દ પણ અસ્તિત્વમાં હતો નહી. એટલે ગીતા હિન્દુ માટે છે એમ કહેવા કરતાં હિન્દુઓ ગીતામાં માને છે એમ કહેવું વધુ ઉચીત ગણાય.વૈદિક ધર્મનું આ પુસ્તક આજની દુનિયાના હિન્દુ, મુસ્લીમ, બૌધ કે ઇસાઇ એવા એકે ધર્મનું પુસ્તક નથી છતાં તે આ બધા જ ધર્મોનું પુસ્તક છે. કારણ ગીતા તો છે કેવળ માનવ ધર્મનું પુસ્તક. જયાં સુધી આ ધરતીના કોઇ પણ ખૂણામાં માનવ સમાજનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ગીતાની અગત્ય, તેનું નાવીન્ય, તેનું આકર્ષણ રહેશે. ગીતાને જીવન શાસ્ત્ર, માનસ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર જે કહો તે બધું જ સાચું કહેવાય. ગીતામાં માનવના માનસનું જે વિશ્લેષણ વ્યાસજીએ કર્યું તે આજ કાલના માનસશાસ્ત્રીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરવાર કરી રહયાં છે. જેમ આજ સુધી આલ્બર્ટ મુનિના ‘આઇન્સ્ટાઇના’ સાપેક્ષવાદને ખોટો છે એમ કોઇ પુરવાર નથી કરી શકયું તેમ જ વ્યાસ મુનિએ પ્રતિપાદીત કરેલા માનવ માનસના સિદ્ધાંતોને હજી કોઇ ખોટા નથી ઠેરવી શકયું. સાપેક્ષ વાદ પુરવાર કરવા જેમ આલ્બર્ટ મુનિએ આધુનિક જમાનાના ભૌતિક અને ગણિતશાસ્ત્રનો આધાર લીધો તેમ જ વ્યાસ મુનિએ માનવ મનના સિદ્ધાંતો પ્રતિપાદીત કરવા તે જમાનાના શાસ્ત્રો ‘વેદો અને ઉપનિષદો’નો આધાર લીધો. એટલે જ કહેવાય છે ને કે
“સર્વો ઉપનિષદ ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ
પાર્થો વત્સઃ સુધીર્ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત્”
Comments»
no comments yet - be the first?