“પરમદિવસ કે કરમદિવસ” June 19, 2009
Posted by girishdesai in : વિચાર , trackbackપરમદિવસ કે કરમદિવસ
પરમ એટલેતો શ્રેષ્ઠ કે ઉત્તમ.જો આમ જ હોય તો
આપણે આપણા બધા કામ પરમદિવસે જ કરવા
જોઇએ ને? શુભ મુહૂર્ત જોવાની તસ્દી લેવાની શી
જરુર? તો શા માટે ધારેલું કામ આજે જ આટોપી
લેવું ?
એનું કારણ એ છે કે આવતા પરમદિવસે આપણા
ધારેલા કામમાં શું વિઘ્ન આવશે તે આપણે જાણી
શકતા નથી. આવતા પરમદિવસે આપણા કરમમાં
શું લખ્યું હશે તેની કોને ખબર છે. અને ગત
પરમદિવસનું કરમતો ભોગવી જ લીધું.
હું તો માનુ છું કે આપણે પરમદિવસની ફરીથી
નામકરણ વિધિ કરી તેનું નામ કરમદિવસ રાખવું
એ જ યોગ્ય ગણાય.
ખરું કે નહી ?
Comments»
no comments yet - be the first?