“મારી દ્રષ્ટિએ” March 16, 2012
Posted by vijayshah in : વિચાર , add a comment
સંત એટલે “જે કશું ન સંતાડે તે છે સંત” (અર્થાત જેનું સંપૂર્ણ જીવન પારદર્શક હોય તે)
પ્રેમ એટલે અહંનું મૃત્યુ
શ્રદ્ધા એટલે સંશયનું મૃત્યુ
મોક્ષ એટલે મનનું મૃત્યુ
મુકિત એટલે વાસનાનું મૃત્યુ
વિવેક એટલે વિચાર અને લાગણીનું દ્રાવણ
ચિત્ત એટલે વાસનાનું સરોવર
મન એટલે ચિત્ત સરોવરમાથી વહેતી નદી
બુદ્ધિ એટલે મન નદીનાં કીનારા