“આત્માનો છાંયો” March 5, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment“આત્માનો છાંયો”
ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો
જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
જો હું તન નથી પણ આ તન છે મારૂં
તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?
ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?
ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.