jump to navigation

” સ્વઇચ્છા” March 7, 2007

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

” સ્વઇચ્છા”

હર હૈયામાં સદા વસે છે
કંઇ ઘૃણા, કંઇ પ્રેમ.
વળી વસે હર હૈયામંાહે
કંઇ શ્રદ્ધા કંઇ વહેમ.

સ્વઇચ્છાથી ત્યજી શકાય ઘૃણા
કે રાખી શકાય મન મહીં પ્રેમ.
સ્વઇચ્છાથી સંઘરાય શ્રદ્ધા
અને ટાળી શકાય છે વહેમ.

મધપૂડો મીઠો કરવા કાજે
માંખી સંઘરે મધને જેમ.
તેમ જ કરવા જીવન મધુરૂં
સંઘરવા શ્રદ્ધા ‘ને પ્રેમ.

વ્યક્તાવ્યક્ત

Posted by vijayshah in : કવિતા , add a comment

વ્યક્તાવ્યક્ત
વ્યક્ત અને અતિ મોહક છે, પ્રભુ તારી આ કૃતિ
અવ્યક્ત તેના કણ કણમાં છુપાઇ તારી આકૃતિ.
વ્યક્તની કરવી સેવા, કરવી પૂજા અવ્યક્તની
સમજાય જો વાત આ, તો થાયે મનની જાગૃતિ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.