” સ્વઇચ્છા” March 7, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” સ્વઇચ્છા”
હર હૈયામાં સદા વસે છે
કંઇ ઘૃણા, કંઇ પ્રેમ.
વળી વસે હર હૈયામંાહે
કંઇ શ્રદ્ધા કંઇ વહેમ.
સ્વઇચ્છાથી ત્યજી શકાય ઘૃણા
કે રાખી શકાય મન મહીં પ્રેમ.
સ્વઇચ્છાથી સંઘરાય શ્રદ્ધા
અને ટાળી શકાય છે વહેમ.
મધપૂડો મીઠો કરવા કાજે
માંખી સંઘરે મધને જેમ.
તેમ જ કરવા જીવન મધુરૂં
સંઘરવા શ્રદ્ધા ‘ને પ્રેમ.
Comments»
મન હોય તો માળવે જવાય .