” મુક્તકો” April 5, 2007
Posted by vijayshah in : વિચાર , trackback” મુક્તકો”
રહેવા ચાહો જો સ્વતંત્ર તો શિખો કરતાં મજૂરી
રહેવા ચાહો પરતંત્ર તો શિખો કરતાં હજૂરી.
મજૂરીયના જીવન મહીં જ રહી શકે સાચી ખુમારી
હજૂરીયાના જીવન તણી તો થાયે કેવળ ખુવારી.
૧૧-૧૨-૦૩
જીવન કેરી સરિતાના જળને કહેવાયે છે આશા
તન મન કેરા બે કિનારા ‘ને છે કાળ તણી મર્યાદા.
૧૨-૨૬-૦૩
પ્રભુ, તું ભલે કરે એવું કે,
હું જાઉં બધા ઇનામ હારી,
પણ ન કરતો કદી એવું કે,
વિસરું હું મારી ઇમાનદારી.
૧૨-૩૧-૦૩
સમજો ભાઇ આ જીવનને અમર મૃત્યુનું નૃત્ય,
નૃત્ય કરે જે મૃત્યુ સંગે તે જીવન થાય કૃતકૃત્ય.
૪-૪-૦૪
જન્મતો છે મૃત્યુનું મૃત્યુ
અને છે મૃત્યુ જીવનનો અંત,
આ કાળ ચક્ર ચાલે શાને
તે તો જાણે કેવળ ભગવંત.
૪-૪-૦૪
ન કરી શકાય કદી કોઇથી સમય ને કોઇ બાધા
ન કળી શકાય કદી કોઇથી સમય કેરી મર્યાદા.
કયંા છે સમય સમય ની પાસે,સૂણવા કોઇના ભાગ્યની ગાથા
એતો રહે સદાયે વહેતો,ભલે ને રહે અધૂરા મનના ઇરાદા.
Comments»
રહેવા ચાહો જો સ્વતંત્ર તો શિખો કરતાં મજૂરી
રહેવા ચાહો પરતંત્ર તો શિખો કરતાં હજૂરી.
મજૂરીયના જીવન મહીં જ રહી શકે સાચી ખુમારી
હજૂરીયાના જીવન તણી તો થાયે કેવળ ખુવારી.
આ મુક્તક બહુ ગમ્યું .
સરસ સંગ્રહ…