” ર્હદય ચાળની “ August 5, 2007
Posted by vijayshah in : કવિતા , trackback” ર્હદય ચાળની ”
સ્વર્ગ અને નરક વચ્ચે
અંતર બે વહેતનું રહ્યું.
મસ્તિષ્કમાં નરક છે’ને
સ્વર્ગ હદયમાં રહ્યું.
જો ઇચ્છો સ્વર્ગની કેડી લેવા
તો મસ્તિષ્કથી ભાગવું રહ્યું.
‘ને ર્હદય ચાળણીએ મનના બધા
વિચાર, ચાળતા શીખવું રહ્યું.
Comments»
ખરી વાત કરી આપે,
સ્વર્ગમાં જવુ કે નર્કમાં એ આપણા હાથની જ વાત છે,
મનના વિકારોને(કામ, ક્રોધ, લોભ, મોહ, માયા)કાબુમાં કર્યા વગર, સ્વર્ગનો રસ્તો મળવો શક્ય જ નથી. હ્યદયથી નિર્દોષ બન્યા વગર સ્વર્ગ મેળવવું શક્ય જ નથી..
ગાગરમાં સાગર તે આનુ નામ