jump to navigation

” શેષશાયી વિષ્ણુ “ August 6, 2007

Posted by vijayshah in : વિચાર , 2 comments

” શેષશાયી વિષ્ણુ ”

આ બે શબ્દોનો સાચો અર્થ શું? શું સાચે જ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર ઊંઘતા રહેતા હશે ?
તો આ સારી સૃષ્ટિની સંભાળ કેવી રીતે રાખતા હશે? મારે હિસાબે
શેષ = બાકી રહેલું, વધારાનું
શાયી = સુતેલું, ઊંઘતુ કે નિષ્ક્રીય અથવા અવ્યકત “ઊંઘતી વ્યકિત પ્રવૃત્તિ ટાણે અવ્યકત જ હોયને”
વિષ્ણુ =જે વિશ્વમાં અને અણુમાં વસે છે તે

“વસતિ વિષ્વેષુ ચ અણુષુ ચ ઇતિ વિષ્ણુ”

આધુનિક જામાનાના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વિશ્વને બે વિભાગમાં વહેચી શકાય. એક ભાગ છે વ્યકત અને બીજો છે અવ્યકત આ અવ્યકત ભાગને તેઓ ડાર્ક યુનિવર્સ તરીકે ઓળખાવે છે. આપણા વેદિક શાસ્ત્રોએ આ અવ્યકત જગતને પ્રકૃતિનું નામ આપ્યું છે. અને તેઓને હિસાબે જયારે આ પ્રકૃતિ ત્રણ ગુણોની પકડમાં આવે છે ત્યારે તેનું સૃષ્ટિના રૂપમાં પરિવર્તન થાય છે. અને આપણને શૂન્યમાંથી સૃષ્ટિ ઉતપન્ન થતી હોય એવો આભાાસ થાય છે.બાકી શૂન્યમાંથી તો કશું ઉદ્દ્ભવે જ નહીં. આ અવ્યકત પ્રકૃતિ એટલે જ શૂન્ય. અને આ પ્રકૃનિતો જે ભાગ પરિવર્તનમાં વપરાયો નથી તેને આપણે પ્રકૃતિનો બચેલો કે વધેલો ભાગ કહી શકીયે કે નહીં ? આમ સૃષ્ટિના સર્જનમાંથી બાકી રહેલ અવ્યકત પ્રકૃતિ એટલે જ શેષશાયી. અને જે ત્રણ ગુણોથી એનું પરિવર્તન થાય છે તેને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કે નારાયણ કહી શકાય. આમ અવ્યકત પ્રકૃતિમાં છુપાયેલ નારાયણ એટલે જ
” શેષશાયી વિષ્ણુ ”
ઇતિ.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.