ત્રિવિધ નાણું December 26, 2008
Posted by girishdesai in : વિચાર , add a comment ત્રિવિધ નાણું
સમય,સંપત્તિ અને આબરુ આ ત્રણ પ્રકારનું નાણું જીવનની પ્રગતિ માટે ઘણું ઉપયોગી થઇ પડે છે. અને દરેક વ્યકિત પાસે આ ત્રણે વધતા ઓછા પ્રમાણમાં હોય જ છે. છતાં એક વાત યાદ રાખવી જરુરી છે કે સંપત્તિ અને આબરુ મેળવવી અને કેળવવી આપણા હાથની વાત છે. પણ સમયનું નાણું તો જન્મતી વખતે જમા થઇ ગયું હોય છે. અને તે ધીરે ધીરે ખરચાતું જ રહે છે.તેને જીવની બેન્કમાં બચાવી કે પાછું મેળવી શકાતું નથી. છતાં આ નાણાનું આપણે કયાં, કયારે અને કેવી રીતે રોકાણ કર્યું છે તે પ્રમાણે તેના વ્યાજ રુપે સુખ કે દુઈખ મળે છે.દરેક વ્યકિતને પોતાનો સમય કેમ ખરચવો એ માટે પુરી સ્વતંત્રતા છે જ પણ બીજાનો સમય વગર કારણે બગાડવાનો કોઇને હક નથી. આતો કોઇના સમય ધનની ચોરી કરવા બરાબર ગણાય.આપણે બધા જ હિન્દવાસીઓ ગરજ કે ભય ન હોય તો કશે સમયસર પહોંચતા નથી. તો આપણે પણ ચોર જ કહેવાઇએ ને?
ઇતિ.
ગિરીશ દેસાઇ