jump to navigation

“મૃત્યુનો મહિમા” December 16, 2008

Posted by girishdesai in : Uncategorized , add a comment

મૃત્યુનો મહિમા

તું મૃત્યુ આપે છે,જીવન પણ આપે તું મુજને

પણ મન આપ્યું કેવું ! વિસરતું જે સદાય તુંજને

પ્રભો હું આવું છું, વ્યથિત મનથી તારી સમીપે

હું મુકિત માગું છું, જીવન નહીં માગું જ કદીએ.

છતંા જો આપે તું, જીવન ફરીથી આ જગતમંા

તો મન દેજે એવું ,જે રમતું રહે તારાં સ્મરણમંા.

જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના

અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.

જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.

તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!

મૃત્યુતો શકિત છે,જે ચીંધી રહે પથ નવજીવનમાં.

ન સમજે પાણી તોએ, મૃત્યુ શકિતનો દિવ્ય મહિમા

જો નાઆવે મૃત્યુ તો,મળી શકે શું જીવન કદિ નવું ?

વિના મૃત્યુ આવે મળી શકે કદિ મુકિત પણ શંુ ?

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.