“મૃત્યુનો મહિમા” December 16, 2008
Posted by girishdesai in : Uncategorized , trackbackમૃત્યુનો મહિમા
તું મૃત્યુ આપે છે,જીવન પણ આપે તું મુજને
પણ મન આપ્યું કેવું ! વિસરતું જે સદાય તુંજને
પ્રભો હું આવું છું, વ્યથિત મનથી તારી સમીપે
હું મુકિત માગું છું, જીવન નહીં માગું જ કદીએ.
છતંા જો આપે તું, જીવન ફરીથી આ જગતમંા
તો મન દેજે એવું ,જે રમતું રહે તારાં સ્મરણમંા.
જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના
અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.
જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.
તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!
મૃત્યુતો શકિત છે,જે ચીંધી રહે પથ નવજીવનમાં.
ન સમજે પાણી તોએ, મૃત્યુ શકિતનો દિવ્ય મહિમા
જો નાઆવે મૃત્યુ તો,મળી શકે શું જીવન કદિ નવું ?
વિના મૃત્યુ આવે મળી શકે કદિ મુકિત પણ શંુ ?
Comments»
no comments yet - be the first?