jump to navigation

“યુકિત અને મુકિત” March 10, 2007

Posted by vijayshah in : ચિંતન લેખ , trackback

યુકિત એટલે શું અને મુકિત એટલે શું ? યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે યુકત. એનો અથ્ર છે જોડાવું અથવા ભેગા થવું. એજ પ્રમાણે મુચ ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે મુકત અને તેનો અર્થ છે છુટા થવું અથવા જુદા પડવું. એક ઉદાહરણથી આ વાત બરાબર સમજાશે. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્ત્વોની યુકિત થતાં જે સંયોજન બને છે તેને પાણી કહેવાય છે. આમ જયારે બે કે બેથી વધારે તત્ત્વોની યુકિત સંયોજન થાય છે ત્યારે તેમાંથી એક કે એકથી વધારે સંયોજીત તત્ત્વો બને છે. તત્ત્વોના આવા અભ્યાસને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે.
યુકિતનો બીજો અર્થ છે તરકીબ અથવા જાદુ. જયારે બે તત્ત્વો ભેગાં મળી સંયોજન બનાવે છે ત્યારે મૂળતત્ત્વો પોતાના ગુણધર્મો ગુમાવે છે. જેમ કે હાઇડ્રોજન દાહ્ય વાયુ છે અને ઓકિસજન દહન પોશક વાયુ છે.પરંતુ આ બેઉનું સંયોજન થતાં આ બેઉ એક બીજાની ખૂબ જ નિકટ રહેવા છતાં હાઇડ્રોજન નથી બળી શકતો કે ઓક્સિજન નથી બાળી શકતો. બલકે તેમણે બનાવેલું સંયોજન, પાણી ,આગ સમાવે છે.વળી આ બે આદ્ર્ષ્ય વાયુ સંયોજીત થતાં દ્ર્ષ્ય પાણી બને છે આને તરકીબ નહી તો બીજું શું કહેવાય !
આજ પ્રમાણે જયારે પંચમહાભૂત મળીને દેહ બનાવે છે ત્યારે તે દેહ નથી આકશની જેમ કશું છાઇ શકતો કે નથી તે અગ્નિની જેમ કશું બાળી શકતો અગર તો પાણીની જેમ નથી કશું ભીજવી શકતો.આ પણ એક તરકીબ જ ગણાયને ? મૃત્યુ બાદ દેહના આ પાંચ તત્ત્વોનું વિભાજન થતાં દેહની મુકિત થાય છે. ખરૂં જોતાંતો આ પાંચ તત્ત્વો જ (આકાશ, અગ્નિ, વાયુ,પાણી અને પૃથ્વિ) એક બીજાથી મુકત થાય છે. દેહનો તો કેવળ વિલય જ થાય છે. આમ દેહની મુકિત તો સમજી શકાય છે પણ જેને આપણે મોક્ષ એટલે કે જીવાત્માની મુકિત કહીએ છીએ તે શું છે ? મોક્ષ એટલે જીવન મૃત્યુના આવાગમનમંાથી મુકિત. જીવાત્માની મુકિત સમજવા માટે તે કયા મૂળ તત્ત્વોનો બનેલો છે તે જાણવું અતિ આવશ્યક છે. જીવાત્મા નીચે દર્શાવેલા ત્રણ ઘટકોનો ,તત્ત્વોનો,બનેલો છે.
૧. દેહ એટલે કે પંચમહાભૂતનું મિશ્રણ
૨. મન એટલે કે વાસનાઓનું મિશ્રણ અને
૩. ચિત્ત એટલે કે સંસ્કારોનું મિશ્રણ અને આ ત્રણે ઘટકોને જોડતી શકિત એટલે ચૈતન્ય.
રસાયણ શાસ્ત્રના નિયમોનુસાર પાણીનું સમીકરણ નીચે પ્રમાણે લખાય છે.
2H2+02= 2H20
તે જ પ્રમાણે આધ્યાત્મ શાસ્ત્રના નિયમાનુસાર આપણે જીવનનું સમીકરણ નીચે પમાણે લખી શકીએ.
ચૈતન્ય+જીવન શ દ્દેહ+મન+ચિત્ત+ચૈતન્ય
આ સમિકરણ જોતાં સમજાશે કે એમાં વપરાયેલ ચૈતન્ય તત્ત્વમાં કશો ફેર પડતો નથી.તે તો કેવળ ઉદિ્પકનો જ ભાગ ભજવે છે.અર્થાત તે તો નીર્લેપ રહે છે. એનો અર્થ એ થયો કે જેમ પાણીમાં હાઇડ્રોજન અને ઓકિસજન છુપાયેલા છે તેમજ દેહમાં પંચ મહાભૂત,મનમાં વાસના અને ચિત્તમાં સંસ્કાર, છુપાઇ રહે છે. જયારે પંચમહાભૂત છૂટા પડી દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે દેહની મુકિત થાય છે.અને તેજ રીતે જયારે મનમાંથી વાસનઓ અને ચિત્તમાંથી અહંકાર ચાલ્યાં જાય છે ત્યારે મન અને ચિત્તની મુકિત થાય છે. ત્યારે જ જીવાત્માને સાચી મુકિત મળે છે.

છેદી ન શકે શસ્ત્રો જેને, ન બાળે અગ્નિ જેને કદી
ભીંજવે ન પાણી જેને ,ન સૂકાય વાયુથી જે કદી
અજર અમર એવો આ આત્મા,
કહો શાને બંધાયે વાસનાઓ થકી !

એક નોંધ

જન્મ એટલે વ્યકત સિ્થતી અને મૃત્યુ એટલે અવ્યકત સિ્થતી
જયારે વસ્તુ વ્યકત થાય છે અથા્રત તેને વ્યકિતત્વ સાંપડે છે
ત્યારે તેનો જન્મ થયો એમ કહેવાય છે. અને જયારે તે અવ્યકત
થઇ જાય છે અથા્રત તેનું વ્કિતત્વ રહેતું નથી ત્યારે તેનું મૃત્યુ થયું
એમ કહેવાય છે.

” અવ્યકતાદ્દીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના”
આ લખતાં લખતાં મનમાં વિચાર આવ્યો કે
પદાર્થ હંમેશા વ્યક્ત હોય છે અને શક્તિ હંમેશા
આવ્યક્ત રહે છે તો શું આ શ્લોકમાં ” કોન્સસર્વેશન
ઓફ માસ એન્ડ એનર્જી “ના નિયમ પ્રત્યે ઇશારો
કરાયો હશે ? તમે કોઇ આ અંગે પ્રતિભાવ પાડશો
તો આનંદ થશે

Comments»

1. - March 12, 2007

તમારા સવાલનો જવાબ વિજ્ઞાનમાં નહી
આપતા અવડે પણ એટલું જરૂરથી કહીશ

તું મુજમાં છે હું તુજમાં છું
તું અને હું ભિન્ન નથી


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.