” What is Present “ July 17, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” What is Present ”
There is a road called present
Linking future to the past.
And to look, what his future brings
Man runs, till he breathes his last.
And he tries to grab his future
Which seems within his grasp.
But as soon as his fist is clenched,
His future turns to his past.
Present is nothing but an event
That makes a mark on our mind.
And all it takes to make that mark
Is just a twinkle of the Time.
So, all we have to get what we want
Are these few twinkles of Time,
Then is it wise to waste them, in fighting
And feuding over- me and mine?
” સદગુણ અને દૂર્ગુણ “ July 14, 2007
Posted by vijayshah in : વિચાર , add a commentસદગુણ અને દૂર્ગુણ
મોટામાં મોટો સદગુણ છે સ્વ-દૂર્ગુણનું ભાન
મોટામાં મોટો દૂર્ગુણ છ સ્વ-સદગુણની જાણ
” રવા ઢોંસા “ July 13, 2007
Posted by vijayshah in : Uncategorized , 1 comment so farપતિ- તેં ઘણા દિવસથી રવા ઢોંસા નથી કર્યાં તો આજે સાંજે ઢોંસા બનાવજે, પણ યાદ રાખીને રવાના કરજે હોં.
પત્નિ- જરુર
સાંજે જ્યારે પત્નિએ ખીચડી પીરસી ત્યારે પતિ શ્રી તાડૂક્યા. તને ખાસ ઢોંસા બનાવવાનું કહયું હતું તો ખીચડી કેમ બનાવી ?
પત્નિ- હા, પણ તમે કહયું હતું ને કે યાદ રાખીને રવાના કરજે. તે મેં મારા ભાઇને ત્યાં રવાના કરી દીધા.એ કહેતો હતો કે ઢોંસા બહુ સરસ થયા હતા.
” સનાતન ધર્મ “ July 11, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so far” સનાતન ધર્મ ”
સનાતનનો અર્થ છે શાશ્વત કે નિત્ય અથવા આદિ અને અંત વગરનું. અને ધર્મ ની વ્યાખ્યા છે “ધારયતિ ઇતિ ધર્મ ” એટલે કે જે ધારણ કરે છે અર્થાત કે જે આધાર આપે છે તે ધર્મ .ધર્મ છે કોને આધાર આપે છે ? આ સારી સૃષ્ટિને અને તેમાં રહેલા તમામ જડ અને ચેતન તત્ત્વોને. આ જગત જેના આધારે ટકી રહયું છે એ જ સાચો સનાતન ધર્મ .બાકી ધર્મ ને નામે ઓળખાતાં હિન્દુ, મુસ્લિમ,ખ્રીસ્તિ,બાૈધ્ધ વગેરે વગેરે તો આ સનાતન ધર્મ ના અલગ અલગ પંથ છે અથવા કહો કે અલગ અલગ વાડા છે.
સનાતન ધર્મ સૃષ્ટિના તમામ જડ અને ચેતન પદાર્થો અને તેમને ગતિમાન કરતી વિવિધ શકિતઓને આવરીલે છે. સનાતન ધર્મ એટલે સૃષ્ટિના ભૌતિક અને આધ્યાત્મિક અચળ નિયમો. આ નિયમોને આધારે જ જડ વસ્તુની જડતા, માનવીની માનવતા, પ્રવાહીનો પ્રવાહ અને પશુની પશુતા જળવાઇ રહે છે. આ નિયમોને આધારે જ વાયુ, સૂર્ય, તારા, ગ્રહો અને નિહારિકાઓ ગતિમાન થાય છે અને ગતિમાં રહે છે.આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સજ્રન થયું. આ નિયમોને આધારે જ સૃષ્ટિનું સંચાલન થાય છે અને તેમના આધારે જસૃષ્ટિનો સંહાર પણ થશે. અર્થાત સૃષ્ટિના સર્જન પહેલાં પણ આ નિયમો હતાં આજે પણ છે અને સૃષ્ટિના વિલય બાદ પણ રહેશે જ. એટલે કે આ નિયમો – આદિ કે અંત વગરના- સનાતન છે. આ નિયમોનું અસ્તિત્વ “સંભૂતિ” એટલે જ ઇશ્વર.સર્જનના નિયમો એટલે જ બ્રહ્મા, સંચાલનના નિયમો એટલે જ વિષ્ણુ અને સંહારના “વિલયના” નિયમો એટલે જ મહેશ આપણા શરીરમાં હર પળે નવા કોષોનું “સેલ્સનું ” સર્જન, તેમનું સંચાલન અને તેમનો સંહાર થતાં રહે છે. આ પ્રમાણે આપણાં જન્મથી મૃત્યુ પર્યન્ત હર પળે આપણાં શરીરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અભિવ્યકિત થતી રહે છે.
આ નિયમોમાંથી કેટલાંક નિયમો મનુષ્યને માટે બુદ્ધિગમ્ય છે, પરંતુ કેટલાં એવા પણ છે કે જે એની બુદ્ધિથી પર છે. બુદ્ધિગમ્ય નિયમોના કાર્ય અને કારણોનું વિશ્લેષણ એટલે વિજ્ઞાન.જે નિયમો બુદ્ધિથી પર છે તેનું વિશ્લેષણ તો કેવળ શ્રદ્ધાથી જ થઇ શકે છે. શ્રદ્ધાથી કુદરતના નિયમો સમજવાનો આ પ્રયાસ એટલે ધર્મ. બુદ્ધિથી સમજાય તે વિજ્ઞાન અને શ્રદ્ધાથી સમજાય તે ધર્મ.
મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાના પ્રકાર અને પ્રમાણ દરેક વ્યકિતમાં જુદા જુદા હોય છે.એટલું જ નહી પરંતુ દરેક વ્યકિતના જીવન દરમિયાન તે બદલાતાં રહે છે. વ્યકિતની બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસનો આધાર એના સંસ્કાર, એના સંજોગ,એની સોબત તથા એના શિક્ષણ ઉપર અવલંબે છે. દરેક વ્યકિત પોતાની બુદ્ધિ અને શ્રદ્ધા અનુસાર કોઇ બીજી વ્યકિત કે વાદ ઉપર વિશ્વાસ મૂકવા માંડે છે. અને તે વ્યકિત કે વાદે ચીંધેલા માર્ગે ચાલવા લાગે છે. વળી કદીક તે આવી વ્યકિતને ગુરૂ તરીકે પણ અપનાવી લે છે, અને આવા વાદને તે પોતાનો ધર્મ માની તે પંથે ચાલવા લાગે છે. જેવા કે હિન્દુ મુસ્લિમ વગેરે વગેરે. અને પોતાને મન ગમતો આ વાદ, આ પંથ, આ ધર્મ સચવાઇ રહે તે માટે એની ચારે બાજુ વહેમ અને રીત રિવાજોની એક અભેદ્ય દીવાલ ઉભી કરે છે. આ કારણે જ તે મંદિર, મસ્જીદ, ચર્ચ વગેરે વગેરે ઉભાં કરે છે.એટલું જ નહી પણ આ દીવાલોથી પોતે સ્વિકારેલા ધર્મની રક્ષા કરવામાં તે પોતાના જીવનની સાર્થકતા માને છે, અને એની પાછળ એટલો સમય વ્યતીત કરે છે કે તેને પોતાનામાં રહેલ ઇશ્વરદત્ત માણસાઇ શું છે તેનો વિચાર કરવાનો જરા પણ સમય નથી મળતો.પોતાના માનેલા આવા ધર્મની રક્ષા ખાતર તે બીજાઓનાં ગળા રહેંસતાં જરા પણ ક્ષોભ,સંકોચ કે શરમ નથી અનુવતો. ધર્મ શું છે તે સમજયા વગર જ ધર્મયુદ્ધ કરવા તત્પર થઇ જાય છે.અને એમાં ગૌરવ પણ લે છે.
કોઇ પણ પશુ પોતાની સ્વેચ્છાથી પોતાની સ્વભાવ જન્ય “ઇશ્વરદત્ત” પશુતા ત્યજી શકે ખરૂં ? કોઇ જડ પદાર્થ પોતાની જડતા ત્યજી શકે છે શું ? પ્રવાહી પોતાનો પ્રવાહ ત્યજી શકે ખરૂં ? એક મનુષ્ય જ એવું પાણી છે કે જે પોતાની સ્વભાવ જન્ય માણસાઇ ભૂલી શકે છે.અને છતાં પોતાને બુદ્ધિમાન ગણાવે છે. જો કે એ વાતતો સાચી છે કે, જો એનામાં બુદ્ધિ ન હોત તો એ માણસાઇ ભૂલી શકત જ નહી. યાદ રાખવું અને ભૂલવું એતો બુદ્ધિ નો ધર્મ છે. અને મનુષ્યનો ધર્મ “ફરજ ” છે તેને કેળવીને કાબુમાં રાખવાનો. જો તે આમ ન કરી શકે તો તેમાં વાંક બુદ્ધિનો નહી પરંતુ મનુષ્યનો જ ગણાય. તેણે માની લીધેલા તેના ધર્મનો જ ગણાય.
સૃષ્ટિને માણવા માટે ઇશ્વરે મનુષ્યને દેહ આપ્યો છે પરંતુ સૃષ્ટિને જાણવા,સમજવા, સારૂં ઇશ્વરે તેને ચિત્ત,મન અને બુદ્ધિ આપ્યાં છે.સૃષ્ટિનો તાગ કાઢવા આ શરીર તો સમર્થ નથી જ અને તેથી જ ઇશ્વરે મન અને બુદ્ધિના વિસ્તાર તથા ગતિ એટલાં વિશાળ ક્રર્ર્યા છે કે આ સારી સૃષ્ટિતેમાં સમાઇ જાય અને સૃષ્ટિના કોઇ પણ ખૂણામાં તે એક ક્ષણ માત્રમાં પહોંચી જાય.આ મન અને બુદ્ધિ દશે દિશામાં અબાધિત ભટકી શકે છે.આમ ભટકવું એતો જાણે એમનો સ્વભાવ છે,ધર્મ છે,અથવા કહો કે તેમને માટે આ મૂળભૂત નિયમ “સનાતન ધર્મ” છે. જો તેઓ આમ ભટકી ન શકે તો સૃષ્ટિનો ખૂણે ખૂણો કેમ કરી ખૂંદી વળે ! આપણે આગળ જોયું તેમ માણસ એની માણસાઇ ભૂલે છે એનું કારણ તે પોતાની બુદ્ધિનો કેવો ઉપયોગ કરે છે તે ઉપર આધાર રાખે છે.
હવે બુદ્ધિનો કેવો ઉપયોગ કરવો જોઇએ તે સમજવા સારૂં આ ચિત્ત, મન અને બુદ્ધિ શું છે અને એમનો એક બીજા સાથેનો સંબંધ “વ્યવહાર” કેવો છે તે સમજવું બુદ્ધિ એટલે નદીના કાંઠા કે જે ખડકો અને પથ્થરો ના બનેલા હોય છે. આ નદીનું નામ રાખીશું ” મનો- નદી”. જેમ નદીના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતા પથ્થરો ઉપર આધાર રાખે છે તેમ જ આ “મનો- નદી”ના પ્રવાહની દિશા અને ગતિ તેના પ્રવાહમાં રૂકાવટ કરતાં બુદ્ધિ રૂપી પથ્થરો ઉપર આધાર રાખે છે.જો પથરા મોટા અને ભારે હોય તો તે પ્રવાહને અમુક દિશામાં જતો રોકી એની દિશા જરૂર બદલી શકશે. પરંતુ જો એ પથરા નાના અને હલકા હોય તો ? તો પ્રવાહની સાથે સાથે તે પણ તણાઇ જાય એમાં કોઇ શંકા નથી.આમ જ જે બુદ્ધિ ભારે એટલે કે તીવ્ર અને કેળવાયેલી હશે તે મનના પ્રવાહને અમુક જ દિશામાં વહેવા દેશે.અને એના વેગને પણ ખાળી શકશે.પરંતુ આ બુદ્ધિ જો નાના કાંકરા જેવી અર્થાત મંદ અને બીન કેળવાયેલી હોય તો તે મનના પ્રવાહમાં કયાંય તણાઇ જાય તો તેમાં નવાઇ શું !
હવે ચિત્ત અને મનનો એક બીજા સાથે કેવો સંબંધ છે તે વિચારીએ. નદીનો પ્રવાહ જેમ પવ્રતમાં સંઘરાયેલા પાણી ઉપર આધાર રાખે છે તેમ મનનો પ્રવાહ ચિત્ત રૂપી પવ્રતમાં સંઘરાયેલ વાસના રૂપી પાણી ઉપર આધાર રાખે છે. વર્ષાનંુ પાણી જેમ પવ્રતના ખાડા અને કોતરોમાં ભરાઇ રહે છે અથવા તો તેના ઊંચાં શિખરો ઉપર ઠરી ને બરફ રૂપે જમા થાય છે તેમ જ જન્મો જન્મની વાસનાઓ રૂપી વર્ષાનું પાણી ચિત્તના ખાડા અને કોતરોમાં જમા થાય છે યાતો એના શિખરો ઉપર વાસનાનો બરફ બની થીજી જાય છે. ચિત્ત રૂપી આ પવ્રતમાં કામ,કોધ,લોભ,મોહ,મદ્દ અને મત્સર નામના છ મોટાં કોતરો છે જેમાં જન્મો જન્મની વાસનાનું પાણી ભરાઇ રહે છે.આ બધાં કોતરોમાં વ્યવસ્થિત રીતે બુદ્ધિના પથ્થરો વડે પૂરાણ કરવામાં આવે તો વાસનાનું પાણી તેમાં જમા ન થતાં એક નાનો વહેળો બની વહી જાય અને થોડા સમયમાં જ સુકાઇ પણ જાય.તેનો સંગ્રહ ન થાય. બુદ્ધિથી કામ ક્રોધાદિના આ કોતરો તો પૂરી શકાય પરંતુ ચિત્તના શિખરો ઉપર થીજેલા પેલા વાસનાનાં બરફને કેમ કરી દ્દૂર કરાય ? ઇશ્વરે આટલા સારૂં જ મનુષ્યને એક શસ્ત્ર પણ આપ્યું છે. આ શસ્ત્ર એટલે જ શ્રદ્ધા. આ શ્રદ્ધાના સૂર્યથી વાસનાનો બધો બરફ ઓગાળી શકાય. આ શ્રદ્ધા એક એવું શસ્ત્ર છે કે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરતાં આવડી જાય તો બસ બેડો પાર થઇ જાય. બુદ્ધિકરતા શ્રદ્ધાની શકિત ઘણી અધિક છે તેથી જ ગીતામાં કહયું છે કે ” શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં” શા માટે એમ ન કહયું કે ” બુદ્ધિમાન લભતે જ્ઞાનં ” કારણ એ છે કે બુદ્ધિ અહંને પોષે છે જયારે શ્રદ્ધા અહંને શોષે છે. છતાં બુદ્ધિ ની સહાય વિના શ્રદ્ધાનું શસ્ત્ર વાપરવું એ અતિ મુશ્કેલ છે. કારણ બુદ્ધિ વિનાની શ્રદ્ધા એ ધાર વિનાની તલવાર બરાબર છે. સાચું પૂછો તો શ્રદ્ધા એટલે ધનુષ્ય અને બુદ્ધિ એટલે બાણ. આ બેઉ એક બીજાં વગર બીલકુલ પાંગળાં છે. બીલકુલ નાકામયાબ છે. બુદ્ધિથી ઉભરાતા અહંકારનો નાશ કરવા શ્રદ્ધા અનિવાર્ય છે અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં, વહેમમાં,ન પરિણમે તે માટે બુદ્ધિ અતિ અનિવાર્ય છે. બીજું એ કે પ્રકૃતિનો પરિચય, અનુભવ, કરવાં જેમ બુદ્ધિ આવશ્યક છે તેમ પુરૂષની પ્રતિતી કરવા શ્રદ્ધા આવશ્યક છે.બુદ્ધિ અને શ્રદ્ધાના સહકારથી જ ભકિત ઉદભવી શકે. અને આ ભકિત જ ધનુષ્યની પણછનું કામ સારે.વળી બીજી દ્રષ્ટિએ જોતાં મને એમ લાગે છે કે આ બુદ્ધિ, શ્રદ્વા અને તેમનાં સુમેળથી જન્મેલી ભકિત, આ ત્રણે બ્રહ્મવિદ્યાની ગાદીનાં ત્રણ મૂખ્ય પાયા છે અને તેની ઉપર બ્રહ્મજ્ઞાની સ્થિરતાથી પોતાનું આસન જમાવે છે.જો આ ત્રણમાંથી કોઇ પણ એક પાયો ડગમગતો હશે તો તેનું બ્રહ્મજ્ઞાન પણ ડગમગતું જ રહેવાનું. અપૂર્ણ જ રહેવાનું.
હવે પશ્ન એ છે કે જેમાંથી ભકિત જન્મે છે તે બુદ્ધિ અને શ્રદ્ધાના વિકાસ માટે મનુષ્યએ શું કરવું જોઇએ? આ અગાઉ મેં ઉલ્લેખ કર્યો હતો કે મનુષ્યની બુદ્ધિ અને શ્રદ્ધાનો આધાર તેનાં સંસ્કાર, તેનાં સંજોગ, તેની સોબતો અને તેનાં શિક્ષણ ઉપર છે.પરંતુ બુદ્ધિનો વિકાસ વિશેષતઃ, તેનાં શિક્ષણ અને તેની સોબતો ઉપર આધારીત છે, જયારે તેની શ્રદ્ધાનો વિકાસ વિશેષતઃ તેનાં સંસ્કાર અને તેનાં સંજોગો ઉપર આધાર રાખે છે.આનો અર્થ એ થયો કે બુદ્ધિ વર્તમાન જન્મના કર્મોથી વિકસે છે વત્ર્તમાન જીવનમાં જો સારી સોબતો રાખી સારૂં શિક્ષણ મેળવીએ તો બુદ્ધિનો સારો વિકાસ થાય એમાં કોઇ શંકા નથી.પરંતુ શ્રદ્ધાના વિકાસ માટે જરૂરી એવા સંસ્કાર અને સંજોગો, જે પૂર્વ જન્મના ફળ,પ્રારબ્ધ,રૂપે મળે છે,તે સારા હોવા અતિ આવશ્યક છે.
વર્તમાન જન્મનાં કર્મોથી જ આપણે આપણાં ભાવિ જન્મનંુ પ્રારબ્ધ ઘડીયે છીએ.આપણાં ભાવિ જીવનનાં ઘડવૈયા તો આપણે જ છીએ ને ? તો આ જન્મમાં સારી સોબતો રાખી એટલે કે સત્સંગ કરી સારૂં શિક્ષણ મેળવવીએ તો ભાવિ જન્મના સંસ્કરો અને સંજોગો સુધારી શકીએ એમ માનવામાં કાંઇ જ ભૂલ નથી. એટલા માટે તો શાણાં લોકો શિખ દ્દે છે કે “ભાઇ, ક્ર્મો એવાં કરો કે જેથી પરલોક સુધરે” આ પરલોક એટલે જ ભાવિ જીવન. આ પ્રમાણે વર્તમાનમાં સત્સંગ અને સતકર્મો કરી ભાવિ જન્મના સંસ્કરો ઘડવા કે જેને આધારે નવા જન્મમાં શ્રદ્ધાનો ઉદ્દ્ભવ થાય.આ પ્રમાણે શ્રદ્ધાનો પાયો મજબૂત કરવા કેટલા જન્મ જોઇએ એતો ઇશ્ચર જાણે.પરંતુ એટલંુ તો ચોકકસ કે આ જન્મમાં જેટલા પ્રમાણમાં પ્રગતિ કરીએ તેટલા પ્રમાણમાં જન્મ ઓછાં લેવા પડે.આ ઉપરથી એક એ વાત તો સમજાશે કે કર્મ કર્યા વિના બુદ્ધિ વધે નહી અને બુદ્ધિ વિના શ્રદ્ધા પણ ઘડાય નહી બીજી વાત એ કે ભૂત, વર્તમાન અને ભાવિ જીવનનો પંથ આપણાં વર્તમાન જીવનના કર્મોથી જ ઘડાય છે. વળી વર્તમાન તો ભૂત અને ભાવિને જોડતો રસ્તો છે. વર્તમાન વિના ભૂત અને ભાવિ સંભવે જ નહી. તમે એક પણ એવંુ ગામ જોયંુ કે જાણ્યંુ છે કે જયાં જવાનો કોઇ રસ્તો જ ન હોય ? જો રસ્તો ન હોય તો ગામ પણ ન હોય.ગામ ઉભુ કરવા ત્યાં જવાનો માર્ગતો જોઇએ ને ? બુદ્ધિઅને શ્રદ્ધાને સંાકળવા એક જ માર્ગ છે,અને તે છે વર્તમાનનો કર્મ માર્ગ-કર્મ યોગ. મનુષ્ય એના ધ્યેય ઉપર પહોંચી શકશે કે નહી તેનો આધાર તે આ કર્મ માર્ગ ઉપર કઇ દિશામાં પ્રવાસ કરે છે તે ઉપર છે. આ દિશા એટલે કર્મ કરવાનો હેતુ કે આશય કે ઇચ્છા. ધ્યેય પ્રાપ્તિ કે ફળ પ્રાપ્તિ કર્મ ઉપર નહી પરંતુ કર્મ કરવાના હેતુ ઉપર આધાર રાખે છે. અને મનુષ્યને બંધન પણ આ હેતુથી જ થાય છે કર્મથી નહી. આ જન્મનાં કર્મોનો હેતુ અર્થાત ઇચ્છા જો ફળીભૂત ન થાય તો તે પારબ્ધનો અંચળો ઓઢી ભાવિ જીવનમાં સંસ્કાર અને વાસના બની જરૂર ડોકીયાં કરે છે. જેવાં જેનાં હેતુ તેવાં તેનાં સંસ્કાર,અને જેવાં જેનાં સંસ્કાર તેવી તેની શ્રદ્ધા. આ ઇચ્છાના, આ આશયના, આ હેતુના સારા કે ખોટા જે ફળ મળે તે સ્વિકારી લેવામા જ મનુષ્યની સાચી બુદ્ધિમાની છે. આ કારણથી જ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહયંુ છે કે, હે અર્જુન,
કમ્રણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુ;ભૂ્ઃમા તે સંગોઅસ્ત્વકમ્રણિ
કર્મનંુ ફળ મેળવવાનો હેતુ ન રાખ અને અકર્મનો સંગ પણ ન કર એટલે કે ફળની ઇચ્છા ન રાખ અને કર્મ નથી કરવંુ એવી દાનત પણ ન રાખ. કારણ કે મેં તને શરીર,બુદ્ધિ અને મન આપીને કર્મ કરવાની લાયકાત તો આપી છે પરંતુ કયા કર્મનંુ ફળ કેવંુ અને કયારે મળશે તેનો નિર્ણય કરવાની લાયકાત મેં તને નથી આપી.મનુષ્ય, કે જે સવારની વાત સાંજ સુધી યાદ નથી રાખી શકતો તે, કયંુ કર્મ તેણે કયારે કર્યું અને તેનંુ કેવંુ ફળ તેને કયારે મળ્યંુ તે કેમ કરી નકકી કરી શકે ? એ નકકી કરવાનો એને અધિકાર નથી . એનામાં એ લાયકાત નથી. ઇશાવાસ્ય ઉપનિષદમાં પણ કહયંુ છે કે
કુર્વન એવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમાઃ
એવં ત્વયિ નાન્યતેથોસ્તિ ન કર્મ લિપ્યતે નરે
એટલે કે કર્મ ફળની આશા રાખ્યા વગર પૂરા સો વર્ષનંુ આયખંું ભોગવવાની મનોવૃત્તિ રાખી કર્મ કરતાં રહો તો કર્મનું લેપન નથી થતંુ. આવાં કર્મોની ભાવિ જીવન ઉપર કાંઇ અસર થતી નથી. ફળની ઇચ્છા રાખીએ તોજ તે સફળ કે નિષ્ફળ થવાનો સંભવ રહે છે ને ? ઇચ્છા હોય તો જ વાસનામાં પરિણમે ને ? કેવળ નિષ્કામ વૃત્તિથી ઘડાયેલ બુદ્ધિ અને શ્રદ્ધા જ સાચા જ્ઞાન તરફ દોરી જાય છે.
સરાંશ એટલો જ કે જ્ઞાન માટે શ્રદ્ધા,શ્રદ્ધા માટે બુદ્ધિ,બુદ્ધિ માટે કર્મ,કર્મ માટે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો માટે દેહ અતિ આવશ્યક છે.અને એટલા માટે જ ઇશ્વર આપણને દેહ પછી દેહ આપતો જ રહે છે. જ્ઞાન પૂર્ણ થતાં જ નવો દેહ મળવાનંુ બંધ થાય છે. યાને કે મુકિત મળે છે. આમ જો ઇન્દ્રિયોથી નિષ્કામ કર્મ કરી બુદ્ધિ અને શ્રદ્ધાને સારી રીતે વિકસાવવામાં આવે તો જ્ઞાન પૂર્ણતાએ પહોંચતાં ઇશ્વર શંુ છે તે સમજાય.અને જેને કારણે ઇશ્વરનંુ રહસ્ય છતંુ થાય,જેને કારણે સૃષ્ટિના સર્જન,સંચાલન અને સંહારના નિયમો સમજાય તે જ સાચો ધર્મ. તે જ સનાતન ધર્મ.
ઇતિ
” પેલું પ્યારું પંખી “ July 9, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” પેલું પ્યારું પંખી ”
જીવન ભર હું જહેમત કરતો રહયો ‘ને
હવે છે આ દેહને ખૂબ થાક લાગ્યો,
અંગો બધા સાવ શિથીલ થયાં છે
અને થઇ ગઇ છે નબળી બેઉ આંખો.
પીંજરમાં પુરેલું પેલું પ્યારું પંખી
છે ઉડવાને ઉત્સુક,ફફડાવે પાંખો,
ત્યજવાને પીંજર તે અધીરું થયું છે
નહી માને તે મનાવ્યું,કે પાડેથી ઘાંટો.
ત્યજી પીંજર તે જરૂર ઉડી જશે ‘ને
થશે નષ્ટ પીંજરનો સાંધે સાંધો,
ઇચ્છુ કે ના પુરાય કદી પીંજરે ફરી તે
‘ને રહે ઉડતું અનંતે પસારી બેઉ પાંખો.
૧૦-૧૭-૦૪
July 7, 2007
Posted by vijayshah in : વિચાર , 2 comments” ટીકા નહીં પણ ટેકા કરીએ ”
ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી અંગે જે જોડણીનું મહા યુદ્ધ ચાલી રહયું છે તેમાં અને મહાભારતના યુદ્ધમાં મને એક મોટો ફરક દેખાય છે. આ જોડણી યુદ્ધમાં કૌરવો (બહુમતી) સાચા પક્ષમાં છે અને પાંડવો (લઘુમતી) લોકોને અવળે રસ્તે દોરી જવાનો પ્રયાસ કરી રહયાં છે.પરંતુ આ યુદ્ધમાં વિજયતો કૌરવોનો જ થશે. કારણ હંમેશાં ‘સત્યમેવ જયતે.’ હા,એમને એમના વિચારો વ્યકત કરવાનો હક તો છે જ છતાં હું એમની દૃષ્ટિ વીર નર્મદે કરેલા એક વિધાન તરફ દોરું છું
ભાષાને શું વળગે ભૂર
રણમાં જે જીતે તે શૂર
દરેક ભાષાના બે પ્રકાર હોય છે મૌખિક અને લેખિત અને નર્મદે બે જ વાકયમાં આ બેઉની અગત્ય કેવી અને કેટલી છે તે સમજાવ્યું છે એમ હું માનું છું. ભૂરનો અર્થ છે ભારણ કે વજન.મૌખિક ભાષાનું વજન કેટલું ? સાંભળનાર કરે એટલું. ભરુચી લોકો ‘ળ’ ને બદલે ‘લ’નો ઉપયોગ કરતા હોય છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ, અને તેને કારણે વાકયોના અર્થ બદલાઇ જાય છે તે પણ આપણે જાણીએ છીએ.
જયોતિન્દ્ર દવેએ આનું એક સરસ ઉદાહરણ આપેલું. એ ભરુચીએ બીજાને ગુસ્સામાં આવી કહયું “તું માલ ઉપર બેઠો બેઠો ગાલ ઉપર ગાલ દે છે તે નીચે ઉતરની તો તને ખબર પાડી દઉ.”
માળ ને બદલે માલ અને ગાળને બદલે ગાલ બોલાય તો અર્થ બદલાઇ જ જાયને ? આજ પ્રમાણે કેટલાક લોકો ‘ળ’ ને બદલે ‘ર’નો ઉપયોગ કરે છે ત્યારે કેવો ગોટાળો થાય છે. કોઇને આપણે “તમે મળો તો સારું એ કહેવાને બદલે તમે મરો તો સારું ” કહીએ તો મરવાનો વારો તો આપણો જ આવેને ? નર્મદને ખબર હતી કે લોકોની બોલી સુધારવાનું કામ અશકય છે એટલે એમણે બીજા વાકયમાં કહયું “રણમાં જે જીતે તે શૂર” તો આ રણને અને ભાષાને શું લેવા દેવા છે ? મને લાગે છે આ રણ તે કચ્છનું કે યદ્ધનુંં રણ નહીં પણ વાકયનું રણ અર્થાત વ્યાકરણ.લેખિત ભાષામાં જે વ્યાકરણનો સાચો ઉપયોગ કરે તે જ પોતાના વિચારો સચોટ રીતે વ્યકત કરી શકે અને જીતી શકે તેને જ શૂર કહેવાયને ? અને જોડણી એ તો વ્યાકરણનું હૃદય છે. અને એટલે જ નર્મદે એકલે હાથે સહુ પ્રથમ કકકાવારી ગુજરાતી શબ્દકોશની રચના કરી.
હવે આપણે બધાં ઓછે વધતે અંશે જોડણીની ભૂલો કરતાં જ હોઇએ છીએ. તો આ ભૂલો સુધારવા કેવા ટેકા કરવા તેનો વિચાર કરીએ. મને લાગે છે કે આ ભૂલોનું મૂળ કારણ આપણને નાનપણમાં આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે. ર્હસ્વ અને દીર્ઘના ચિન્હો અને તેના ઉચ્ચારણનો ખ્યાલ આપવામાં આવે છે પરંતુ આ ચિન્હોની અદલ બદલથી શબ્દોના અર્થમાં કેવો ફેર પડે છે તે અંગેની પુરતી સમજણ આપવામાં નથી આવતી. અને ઉચ્ચારણમાં તો કશો જ ફરક વર્તાતો નથી. એટલે જેમ બોલીએ તેમ લખીએ છીએ.
આનો ઉપાય શું ?
જે શબ્દો ઉચ્ચારમાં સરખા હોય પણ ર્હસ્વ દીર્ઘના ચિન્હોમાં ફેર હોય તેવા શબ્દો તેમના અર્થ સાથે નીચે પ્રમાણે કોઠાના રુપમાં છાપવા. અને નાનપણથી જ બળકોને શિખવવા જેથી તેમનો શબ્દ ભંડોળ અને જોડણીનું જ્ઞાન વધે.અને શકય હોય તો આવા શબ્દોનો ઉપયોગ પણ કરી બતાવવો.
જેમકે
કિલ=ખરેખર અને કીલ=મળી ” ગાડાના પૈંડા ઉપર લાગતો મેલ
કુચ=સ્ત્રીની છાતી, સ્તન અને કૂચ=લશ્કરી ચાલ
પાણિ=હાથ અને પાણી=જળ
પૂજન વેળા પૂજારીએ પાણિમાં પાણી લઇ આચમન કયુ્રં
પુર=શહેર અને પૂર=નદીમાં આવતી બાઢ
નદીના પૂરમાં આખું પુર તારાજ થઇ ગયું
દિન=દિવસ અને દીન=ગરીબ
તે દીન માણસ આખો દિન ભૂખો રહયો
આ જ પ્રમાણે બીજા ઘણા શબ્દો હશે. પાંચમાથી બારમા ધોરણના બાળકોને દર વર્ષે આવા થોડા
થોડા શબ્દોથી વાકેફ કરીએ તો તેમની ભાષા શુદ્ધિમાં થોડી પ્રગતિ થાય.
ચાલો આપણે ભેગા મળી આ કાર્ય શરું કરીએ અને કોપ્યુટરની મદદથી દરેક ગુજરાતીના ઘરમાં પહોંચાડીએ.
આ લખાણમાં થયેલી જોડણીની ભૂલો મને બતાવશો તો આનંદ થશે.
જોડણી વિશે July 4, 2007
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so farજોડણી વિશે
જોડણી વિશે
તંત્રીશ્રી,
જાન્યુઆરી ૨૮ના અંકમાં શ્રી હસમુખભાઇ બરોટનો – શાણી ગુજરાતી વાણી – વાળો લેખ વાંચ્યો. એમાં એમણે વ્યકત કરેલા બધા વિચારો સાથે હું સહમત થાઉ છું. એટલું જ નહીં બલકે એમના આ વિચારોને અનુમોદન આપવા થોડુંક લખવા માટે પ્રેરાયો છું.
તૈત્તિરીય ઉપનિષદની શીક્ષાવલ્લિના બીજા અનુવાકમાં શિક્ષા કેવી રીતે મેળવવી તેનું વર્ણન કરતાં આ પ્રમાણે કહયું છે.
શીક્ષાં વ્યાખ્યાસ્યામઃ વર્ણઃ સ્વરઃ,માત્રા બલમ્
સામ સંતાનઃ, ઇત્યુકતઃ શીક્ષાધ્યાયઃ
ભાવાર્થ છે કે શિક્ષા મેળવવા માટે વિધાથીર્થીને શબ્દના વર્ણનું ,સ્વર કે વ્યંજનું, ઉદ્દાત્તાદિ માત્રાનું, ર્હસ્વ કે દીઘ્રનું,બળનું એટલે કે ઉચ્ચારણ વખતે મુકાતા ભારનું,સામનું એટલે નિયમબધ્ધ ઉચ્ચારણ કરવાની રીતનું તથા
સંધાનનું એટલે સંધીનું,પૂરતું જ્ઞાન હોવું જોઇએ.એનું કારણ એ કે તે જમાનામાં શિક્ષણ કેવળ મૌખિક રીતે જ અપાતું હતું. અને તેથી જ શિષ્યોને ગુરૂના સાનિધ્યમાં ગુરૂકુળમાં રહેવું પડતું.પરંતુ જયારે શિક્ષણ લેખિત માધ્યમથી અપાવા માંડયું ત્યારે શબ્દ ઉચ્ચારણની સ્પષ્ટતા કેમ કરવી એ પશ્ન જરૂર ઉભો થયો હશે.અને તેના ઉકેલ માટે તે સમયના વિદ્વાનોએ જે નિર્ણય લીધો તેનું પરિણામ તે છે આજની બારસ્વરી કે બારાક્ષરી કે બારાખડી. ગુજરાતી ભાષા કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે તેમાં આ બારાખડીના બાર સ્વરો અને તેમની સંજ્ઞાઓ ( ા િ ી ુ ૂ ે ૈ ો ૌ ં) ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જયારે શબ્દમાં સ્વર આવતો હોય ત્યારે તે સ્થાને યોગ્ય સ્વર વાપરવો પરંતુ જો કોઇ વ્યંજનને ઇકાર કે ઉકાર વગેરે આપવાં હોય તો તે વ્યંજનને ઇકાર કે ઉકાર આપતા યોગ્ય સ્વરની સંજ્ઞા લગાડવી.
અંગ્રેજીમાં કેવળ પાંચ જ સ્વરો હોવાથી કેટલા ગૂંચવાડા ઉભા થાય છે તે જાણીતું છે. “ડીઓ”એટલે ‘ડુ’ અને “જીઓ” એટલે ‘ગો’ એક જ સ્વરના બે ઉચ્ચાર.અંગ્રેજીમાં નિયમો કરતાં અપવાદ વધારે છે, જયારે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષાઓ વધુ નિયમબદ્ધ છે. એક રમુજી દાખલો આપું. મેં જયારે નાનપણમાં પહેલી વાર ‘ફટીગ’ શબ્દ્દ વાંચ્યો ત્યારે તેનો ઉચ્ચાર કર્યો -ફાટીગ્યુ. જો કોઇ જાણકારે તેનો સાચો ઉચ્ચાર -ફટીગ- ન કરી બતાવ્યો હોત તો મારે માટે તો તે ફાટીગ્યુ જ રહેત. અંગેજી શબ્દકોશમાં પણ દરેક શબ્દનો ઉચ્ચાર કેમ કરવો તે બતાવવા કાંઉસમાં જાતજાતની સંજ્ઞાઓનો ઉપયોગ કરી બતાવેલો હોય છે.
શબ્દોનું ઉચ્ચારણ કરવામાં બધા એક સરખા ન જ હોય. એટલે જ કહેવાયું છે કે “બાર ગાઉએ બોલી બદલાય” પરંતુ લખાણમાંતો સામ્યતા હોવી જ જોઇએ. વૈદિક કાળમાં ઉચ્ચારણ માટેની જે સંજ્ઞાઓ હતી તે બધી આજે મોટા ભાગે વિસરાઇ ગઇ છે અને તેની સાથે સાથે વેદો પણ વિસરાયાં છે.આવા જ હાલ ગુજરાતીના ન થાય તે અંગે વિચારવું જોઇએ. નહીં તો આપણી ભાષા ગુજરાતી ને બદલે ગુજરતી ભાષા થઇ જશે. બીજું એકે હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરેમાં પણ આ જ સંજ્ઞાઓ વપરાય છે.તો આ સંજ્ઞાઓ વિના તે ભાષાઓ કેવી રીતે સમજાશે ? ગીતા અને ઉપનિષદો શું નવેસરથી
લખશો ? પાણિનિ ની મહેનત ઉપર પાણી ફેરવવાની કાંઇ જરૂર ખરી ? અરે ગીતા ઉપનિષદની વાત છોડો આપણા આ જમાનાના સાક્ષરોનું લખાણ કેવી રીતે સમજશે ? ઉંઝાની પદ્ધતી પ્રમાણે ‘સ અને ષ’ નો બહિષ્કાર કરીશું તો બીજી એક બે
પેઢી પછીના લોકો ‘સ અને ષ’ જોઇને આપણા સાક્ષરોની મશ્કરી ઉડાવશે કે મુઝવણ અનુભવશે ? આજે આપણે આપણી સાચી જોડણી કરવાની બીન આવડતને છુપાવવા સરળતાને બહાને જે પગલાં ભરીશું તેનું પરીણામ શું આવશે તે અંગે
ખૂબ ઉડો વિચાર કરવો જોઇએ.
ઉપાય?
શ્રી હસમુખભાઇએ દર્શાવેલ,એક સરખા લાગતા ઉચ્ચાર વાળા પણ અર્થમાં અસામ્ય એવા (પૂર-પુર, કે દિન-દીન)વગેરે શબ્દોના જોડકાંઓના કકકાવારી કોઠા બનાવી, આંકના કોઠાની જેમ, પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થિઓને કંઠસ્થ કરાવવા કે જેથી બારમા ધોરણ સુધી પહોંચતા તેમનો શબ્દ ભંડોળ સારો એવો મોટો થઇ જાય.વળી કીરીટભાઇ શાહે બતાવેલા જોડાક્ષરોના પણ કકકાવારી કોઠા બનાવી આ બન્ને પકારના કોઠાઓના અલગ વિભાગ પાડી શબ્દકોશમાં છાપવા.
હવે એક મુદ્દાની વાત કરૂં.ગુજરાતી શબ્દોની જોડણીનું મારૂં જ્ઞાન ઘણું જ સીમિત છે, તેથી જ લખતી વખતે હું શબ્દકોશ લઇને જ બેસું છું. એટલે જો ર્હ્સ્વ ‘ ઇ’ અને દીર્ઘ ‘ઉ’ કાઢી નાખવામાં આવે તો મને તો ફાયદ્દો જ ફાયદ્દો છે. પરંતુ હું ભાષાદ્રોહી થવા નથી માંગતો એટલે આ પસ્તાવની વિરૂદ્ધમાં મારો મત આપું છું. આપણી બીનઆવડ અને આળ ને કારણે ગુજરાતી ભાષાને “ગુ જ ર તી” કરવાની જરુર નથી. ઇતિ
2 Comments Add your own
” બે બળદિયા” July 2, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” બે બળદિયા”
મન અને બુદ્ધિ તણાં બળવાન બે બળદિયા
તન તણી ભૂમી ઉપર સંગ્રામ જામે
ચિત્ત ગોવાળ બની સઘળંુજોયા કરે
તો કેમ કરી યુદ્ધનો અંત આવે ?
ચિત્તને સમજાવવા ચૈતન્ય આવી કહે
સાંભળ વાત મારી, હું કહું જે આજે
બાંધી દે તું ઘૂંસરી બેઉ આ બળદને
નહીં તો કરશે બંડ બેઉ તારી સામે.
છે શકિત તારી ઘણી નાથવા બે બળદિયા
આળસ કરે તે તને કેમ છાજે !
લઇ સંયમની ઘૂંસરી બાંધ બે બળદિયા
વાવ બીજ ભકિતના તન ભૂમિ માંહે.
ભકિતના બીજથી ફળ ઉગશે જ્ઞાનના
જે ચાખીને બેઉ બળદ શાન્ત થાશે
‘ને રાત દિવસ રહેશે તેઓ તારી સહાયમાં
‘ને નિજાનંદ માંહી તું સદા ય રહેશે.
છે મન અને બુદ્ધિ તણાં
બળવાન બે બળદિયા
” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? “ July 1, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” હાથના કર્યાં શું હૈયે ન વાગે ? ”
ગરજ પડી ત્યારે લાંબુ ન વિચાર્યું
‘ને શત્રુને પોષ્યાં મિત્રોને નાતે,
અતિ ઘાતક શસ્ત્રો પણ શોધ્યાં
‘ને કર્યો ખર્ચ મોટો તે કાજ માટે.
આ મિત્રો,આ શસ્ત્રો,આવી ઉભાં છે
બની શત્રુ તમારા, તમારી જ સામે,
હવે ભાઇ મનમાં શાને થાયે અચંબો
કહો,હાથના કર્યાં શું હૈયે ન વાગે ?
” બે મિનારા “ June 29, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” બે મિનારા ”
ઉન્નત મસ્તકે ઉભા હતા બે મિનારા
શોભાવતાં જાણે ન્યુયોર્ક તણા કિનારા.
હતો નિજ મન માંહે ઘમંડ અતિ ભારી
છે શકિત કહો કોની મીટાવે હસ્તી અમારી.
જેમ ગર્વિત બની બાષ્પ ઊંચે ચઢે છે
પણ વર્ષા બની તે જરૂર નીચે પડે છે,
તેમ ગર્વિત થઇ જે શીર ઊંચુ કરે છે
તેને જરૂર કદી નીચા નમવું પડે છે.
જુઓ આવો જ છે નિયમ આ દુનિયાનો
તોડી ગયા એ મિનારા,આવી બે વિમાનો.
જુઓ થયા ભ્રષ્ટ બધે બધા રાજતંત્ર
ન હવા ન પાણી ન રહયું કશુંએ પવિત્ર.
લાગે,ન રહયું જગતમાં કોઇનું કોઇ મિત્ર
કેવું અશુભ ભાસે ભાવિ દુનિયાનું ચિત્ર.