“Marriage” March 11, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far“Marriage”
Marriage is like a ferry boat
In which two travel thru the life
With care it should be kept afloat
By both, husband and his wife.
Don’t think marriage as a dream
Don’t think it is a fairy tale
Pour patience and love in it
Than certainly it will never fail.
In presence of patience and love
You won’t just raise your voice.
To keep marriage happy and strong
This is one and the only choice.
Love and patience keep couple together
And helps them achieve their goals.
Don’t think of marriage as some jeopardy
But think it as a union of two souls.
“Choices” March 10, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment“Choices”
In every heart there always lurks
Feelings of love and Hate.
In every heart there always lives
Some Belief and some Faith.
With our Will, we choose this Love,
With our Will, we choose that Hate.
With our Will, we can surely convert,
Our belief into true faith.
By choosing what is best for us
We could sweeten our lives.
As from flowers, bees choose honey
And make sweeter their hives.
“યુકિત અને મુકિત”
Posted by vijayshah in : ચિંતન લેખ , 1 comment so farયુકિત એટલે શું અને મુકિત એટલે શું ? યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે યુકત. એનો અથ્ર છે જોડાવું અથવા ભેગા થવું. એજ પ્રમાણે મુચ ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે મુકત અને તેનો અર્થ છે છુટા થવું અથવા જુદા પડવું. એક ઉદાહરણથી આ વાત બરાબર સમજાશે. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્ત્વોની યુકિત થતાં જે સંયોજન બને છે તેને પાણી કહેવાય છે. આમ જયારે બે કે બેથી વધારે તત્ત્વોની યુકિત સંયોજન થાય છે ત્યારે તેમાંથી એક કે એકથી વધારે સંયોજીત તત્ત્વો બને છે. તત્ત્વોના આવા અભ્યાસને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે.
યુકિતનો બીજો અર્થ છે તરકીબ અથવા જાદુ. જયારે બે તત્ત્વો ભેગાં મળી સંયોજન બનાવે છે ત્યારે મૂળતત્ત્વો પોતાના ગુણધર્મો ગુમાવે છે. જેમ કે હાઇડ્રોજન દાહ્ય વાયુ છે અને ઓકિસજન દહન પોશક વાયુ છે.પરંતુ આ બેઉનું સંયોજન થતાં આ બેઉ એક બીજાની ખૂબ જ નિકટ રહેવા છતાં હાઇડ્રોજન નથી બળી શકતો કે ઓક્સિજન નથી બાળી શકતો. બલકે તેમણે બનાવેલું સંયોજન, પાણી ,આગ સમાવે છે.વળી આ બે આદ્ર્ષ્ય વાયુ સંયોજીત થતાં દ્ર્ષ્ય પાણી બને છે આને તરકીબ નહી તો બીજું શું કહેવાય !
આજ પ્રમાણે જયારે પંચમહાભૂત મળીને દેહ બનાવે છે ત્યારે તે દેહ નથી આકશની જેમ કશું છાઇ શકતો કે નથી તે અગ્નિની જેમ કશું બાળી શકતો અગર તો પાણીની જેમ નથી કશું ભીજવી શકતો.આ પણ એક તરકીબ જ ગણાયને ? મૃત્યુ બાદ દેહના આ પાંચ તત્ત્વોનું વિભાજન થતાં દેહની મુકિત થાય છે. ખરૂં જોતાંતો આ પાંચ તત્ત્વો જ (આકાશ, અગ્નિ, વાયુ,પાણી અને પૃથ્વિ) એક બીજાથી મુકત થાય છે. દેહનો તો કેવળ વિલય જ થાય છે. આમ દેહની મુકિત તો સમજી શકાય છે પણ જેને આપણે મોક્ષ એટલે કે જીવાત્માની મુકિત કહીએ છીએ તે શું છે ? મોક્ષ એટલે જીવન મૃત્યુના આવાગમનમંાથી મુકિત. જીવાત્માની મુકિત સમજવા માટે તે કયા મૂળ તત્ત્વોનો બનેલો છે તે જાણવું અતિ આવશ્યક છે. જીવાત્મા નીચે દર્શાવેલા ત્રણ ઘટકોનો ,તત્ત્વોનો,બનેલો છે.
૧. દેહ એટલે કે પંચમહાભૂતનું મિશ્રણ
૨. મન એટલે કે વાસનાઓનું મિશ્રણ અને
૩. ચિત્ત એટલે કે સંસ્કારોનું મિશ્રણ અને આ ત્રણે ઘટકોને જોડતી શકિત એટલે ચૈતન્ય.
રસાયણ શાસ્ત્રના નિયમોનુસાર પાણીનું સમીકરણ નીચે પ્રમાણે લખાય છે.
2H2+02= 2H20
તે જ પ્રમાણે આધ્યાત્મ શાસ્ત્રના નિયમાનુસાર આપણે જીવનનું સમીકરણ નીચે પમાણે લખી શકીએ.
ચૈતન્ય+જીવન શ દ્દેહ+મન+ચિત્ત+ચૈતન્ય
આ સમિકરણ જોતાં સમજાશે કે એમાં વપરાયેલ ચૈતન્ય તત્ત્વમાં કશો ફેર પડતો નથી.તે તો કેવળ ઉદિ્પકનો જ ભાગ ભજવે છે.અર્થાત તે તો નીર્લેપ રહે છે. એનો અર્થ એ થયો કે જેમ પાણીમાં હાઇડ્રોજન અને ઓકિસજન છુપાયેલા છે તેમજ દેહમાં પંચ મહાભૂત,મનમાં વાસના અને ચિત્તમાં સંસ્કાર, છુપાઇ રહે છે. જયારે પંચમહાભૂત છૂટા પડી દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે દેહની મુકિત થાય છે.અને તેજ રીતે જયારે મનમાંથી વાસનઓ અને ચિત્તમાંથી અહંકાર ચાલ્યાં જાય છે ત્યારે મન અને ચિત્તની મુકિત થાય છે. ત્યારે જ જીવાત્માને સાચી મુકિત મળે છે.
છેદી ન શકે શસ્ત્રો જેને, ન બાળે અગ્નિ જેને કદી
ભીંજવે ન પાણી જેને ,ન સૂકાય વાયુથી જે કદી
અજર અમર એવો આ આત્મા,
કહો શાને બંધાયે વાસનાઓ થકી !
એક નોંધ
જન્મ એટલે વ્યકત સિ્થતી અને મૃત્યુ એટલે અવ્યકત સિ્થતી
જયારે વસ્તુ વ્યકત થાય છે અથા્રત તેને વ્યકિતત્વ સાંપડે છે
ત્યારે તેનો જન્મ થયો એમ કહેવાય છે. અને જયારે તે અવ્યકત
થઇ જાય છે અથા્રત તેનું વ્કિતત્વ રહેતું નથી ત્યારે તેનું મૃત્યુ થયું
એમ કહેવાય છે.
” અવ્યકતાદ્દીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના”
આ લખતાં લખતાં મનમાં વિચાર આવ્યો કે
પદાર્થ હંમેશા વ્યક્ત હોય છે અને શક્તિ હંમેશા
આવ્યક્ત રહે છે તો શું આ શ્લોકમાં ” કોન્સસર્વેશન
ઓફ માસ એન્ડ એનર્જી “ના નિયમ પ્રત્યે ઇશારો
કરાયો હશે ? તમે કોઇ આ અંગે પ્રતિભાવ પાડશો
તો આનંદ થશે
“જયાં જયાં — ત્યાં ત્યાં” March 9, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far“જયાં જયાં — ત્યાં ત્યાં”
જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જયાં જયાં હોય એક મતાન્ધી, ત્યાં ત્યાં સદા થાય તકરાર.
જયાં જયાં હોય લોકો લોભી, ત્યાં ત્યાં હોય ધૂર્ત પરિવાર,
જયાં જયાં વસે અંધશ્રધ્ધાળુ, ત્યાં ત્યાં થાય છે ભષ્ટાચાર.
જયાં જયાં હોય લોકો નિર્બળ, ત્યાં ત્યાં થાયે અત્યાચાર,
જયાં જયાં હોયે લોકો દંભી, ત્યાં ત્યાં દેખાયે મિથ્યાચાર.
જયાં જયાં લોકો હોય પ્રમાદી, ત્યાં ત્યાં સદા થાયે ગંદવાડ,
જયાં જયાં હોય લોકો આળસુ, ત્યાં ત્યાં દરિદ્રતા પારાવાર.
” સ્વઇચ્છા” March 7, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” સ્વઇચ્છા”
હર હૈયામાં સદા વસે છે
કંઇ ઘૃણા, કંઇ પ્રેમ.
વળી વસે હર હૈયામંાહે
કંઇ શ્રદ્ધા કંઇ વહેમ.
સ્વઇચ્છાથી ત્યજી શકાય ઘૃણા
કે રાખી શકાય મન મહીં પ્રેમ.
સ્વઇચ્છાથી સંઘરાય શ્રદ્ધા
અને ટાળી શકાય છે વહેમ.
મધપૂડો મીઠો કરવા કાજે
માંખી સંઘરે મધને જેમ.
તેમ જ કરવા જીવન મધુરૂં
સંઘરવા શ્રદ્ધા ‘ને પ્રેમ.
વ્યક્તાવ્યક્ત
Posted by vijayshah in : કવિતા , add a commentવ્યક્તાવ્યક્ત
વ્યક્ત અને અતિ મોહક છે, પ્રભુ તારી આ કૃતિ
અવ્યક્ત તેના કણ કણમાં છુપાઇ તારી આકૃતિ.
વ્યક્તની કરવી સેવા, કરવી પૂજા અવ્યક્તની
સમજાય જો વાત આ, તો થાયે મનની જાગૃતિ.
હાયકુ March 6, 2007
Posted by vijayshah in : Uncategorized , 4 commentsહાયકુ
દ્વૈત પકૃતિ
અદ્વૈત પુરૂષ છે
દ્વિધામાં મન
કીધેલી ઇચ્છા
જો સફળ ન થઇ
ઉદાસી મન
લલના ગોરી
વળી દેહ રૂપાળો
મોહિત મન
જો અભિમાની
માનભંગ થાય તો
ક્રોધિત મન
સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખીત મન
વરસી વર્ષા
‘ને થઇ હરીયાળી
હર્ષિત મન
ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રુધિર લાલ
છે નબળાઇ
તન મહીં તો જાણો
તેને અશકિત
છે નબળાઇ
મન મહીં તો જાણો
તેને આસકિત
દ્રષ્ય અદ્રષ્ય
સ્થળ કાળ ‘ને ગતિ
પૂર્ણ સંસાર
જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ જીવન
જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી
હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી
બાળક હસે
થાયે મન માતાનું
હર્ષ વિભોર
કલપ કેશે
કીધો છતાં મુખડું
ખાયે છે ચાડી
તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું
પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ
લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?
રચયિતા છે
આ સર્વ હાયકુના
જી.ડી.દેસાઇ
‘વિચાર’
Posted by vijayshah in : કવિતા , add a comment‘વિચાર’
” અહમ્ ”
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
શાને ચમકે છે વિજળી, ‘ને શાને ફૂંકાયે પવન !
કહો કોણે બનાવ્યો આ દેહ મારો, કોણે દીધું આ જીવન !
કયાંથી આવે છે હાસ્ય એમાં, કહો કયાંથી આવે છે રૂદન !
કોણે દીધી આ બુદ્ધિ મુજને, કહો કોણે દીધું છે આ મન !
જેમાં વસે સહુ શત્રુ મારા,વસે એમાં વળી મારા સ્વજન.
જેણે બનાવી આ સૃષ્ટિ સારી, કહો તે શાને છુપાવે વદન !
ભૂલ શું કીધી એણે કોઇ ? જેની લાગે છે એને શરમ ?
ભૂલ ન કીધી એણે કોઇ,ન રાખો કાંઇ મનમાં ભરમ
નીરખવા જો ચાહો એને,તો દૂર કરજો ભાઇ મનનો અહમ્
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
પારિજાત
Posted by vijayshah in : કવિતા , add a commentપારિજાત
આવી દિવાળી,આસો તણી અમાસ
છાયાં હતા ચારેકોર અંધારા.
કરી દૃષ્ટિ ઊંચી મેં જોયું જયારે
દીઠા નભમાંહે મેં ચમકતા સિતારા.
પ્રભાત થયું ‘ને રવિરાજ આવ્યા
ગભરાઇ ભાગ્યા એ સઘળાં સિતારા.
‘ને ભાગી ન શકયાં જે અતિ ત્વરાથી
તે ખર્યાં બની પારિજાત પુષ્પો રૂપાળાં.
ભરી,રવિ કિરણની રતાશ દાંડીઓમાં
ખર્યાં એ તારલા બની શ્વેત પુષ્પો.
અને હેતે વધાવી તેને મા ધરાએ
ભરી તે સહુમાં કાંઇ અનેરી ખુશબો.
ફરી ન કહેશો કદી કોઇ મુજને કે
ન આવે હાથમાં નભના એ સિતારા.
જુઓ જે ચમક હતા આભ માંહે તે
મઘમઘી રહયાં કરમાં આજ મારા.
“આત્માનો છાંયો” March 5, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment“આત્માનો છાંયો”
ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો
જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
જો હું તન નથી પણ આ તન છે મારૂં
તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?
ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?
ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.