September 23, 2007
Posted by girishdesai in : વિચાર , add a commentજો વિચારને વણો વાણીમાં, તો જન્મે છે ભાષા
જો વણો તેને વર્તન માંહે, તો ફળે મનની આશા.
September 22, 2007
Posted by vijayshah in : વિચાર , 3 comments પૃથ્વિ આધિન છે સૂર્યને,તેથી પ્રગટે દિન ને રાત
મન આધિન છે વૃત્તિને, તેથી પ્રગટે દ્વેષ ને રાગ
જેટલી ત્વરાથી થશો તમે કૃદ્ધ
તેટલી ત્વરાથી થાશો તમે વૃદ્ધ
અહં મરે તો મન મરે, ન રહે વાસના રહે ન મન
મન મારી નમતા શીખો,જો ચાહો કરવા સાચા નમન
પ્રભુ ને પામવા હોય તો દંડવત પ્રણામ કરી એની આગળ પડવા કરતા
મન મુકી ને એની પાછળ પડવું એ યોગ્ય ગણાય.
” સત્યં શિવં સુંદરમ્ “ September 7, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” સત્યં શિવં સુંદરમ્ ”
આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.
” યજ્ઞ યાગ “ September 5, 2007
Posted by vijayshah in : વિચાર , add a commentચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.
” સમાચાર “ September 1, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” સમાચાર ”
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?
August 24, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” बीजली और बादल ”
घीर घीर आये बदरवा कारे
नाचन लागे मोर
चमके बीजलीयां गरजे बदरवा
भयो बहुत कलशोर
बीजली क्युं गोरी बदरवा क्युं कारे
ए सोचे मनवा मोर
राधा जब बीजली बन नाची
भयो बदरवा नंदकीशोर
” વેદના ” August 18, 2007
Posted by vijayshah in : વિચાર , 3 commentsસતયુગમાં પઢી પઢીને લોકો શીખતા ‘તા પાઠો ‘વેદ’ ના
કળીયુગમાં લડી લડીને લોકો આણે છે જગમાં વેદના
” ચિતા અને ચિંતા ”
Posted by vijayshah in : વિચાર , 4 commentsચિતા અને ચિંતા મહીં છે બિંદુ માત્રનો ફેર
ચિતા બાળે મ્રુત્યુ પછી
પણ
ચિંતા કરે જીવતરને ઝેર
” શેષશાયી વિષ્ણુ “ August 6, 2007
Posted by vijayshah in : વિચાર , 2 comments” શેષશાયી વિષ્ણુ ”
આ બે શબ્દોનો સાચો અર્થ શું? શું સાચે જ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર ઊંઘતા રહેતા હશે ?
તો આ સારી સૃષ્ટિની સંભાળ કેવી રીતે રાખતા હશે? મારે હિસાબે
શેષ = બાકી રહેલું, વધારાનું
શાયી = સુતેલું, ઊંઘતુ કે નિષ્ક્રીય અથવા અવ્યકત “ઊંઘતી વ્યકિત પ્રવૃત્તિ ટાણે અવ્યકત જ હોયને”
વિષ્ણુ =જે વિશ્વમાં અને અણુમાં વસે છે તે
“વસતિ વિષ્વેષુ ચ અણુષુ ચ ઇતિ વિષ્ણુ”
આધુનિક જામાનાના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વિશ્વને બે વિભાગમાં વહેચી શકાય. એક ભાગ છે વ્યકત અને બીજો છે અવ્યકત આ અવ્યકત ભાગને તેઓ ડાર્ક યુનિવર્સ તરીકે ઓળખાવે છે. આપણા વેદિક શાસ્ત્રોએ આ અવ્યકત જગતને પ્રકૃતિનું નામ આપ્યું છે. અને તેઓને હિસાબે જયારે આ પ્રકૃતિ ત્રણ ગુણોની પકડમાં આવે છે ત્યારે તેનું સૃષ્ટિના રૂપમાં પરિવર્તન થાય છે. અને આપણને શૂન્યમાંથી સૃષ્ટિ ઉતપન્ન થતી હોય એવો આભાાસ થાય છે.બાકી શૂન્યમાંથી તો કશું ઉદ્દ્ભવે જ નહીં. આ અવ્યકત પ્રકૃતિ એટલે જ શૂન્ય. અને આ પ્રકૃનિતો જે ભાગ પરિવર્તનમાં વપરાયો નથી તેને આપણે પ્રકૃતિનો બચેલો કે વધેલો ભાગ કહી શકીયે કે નહીં ? આમ સૃષ્ટિના સર્જનમાંથી બાકી રહેલ અવ્યકત પ્રકૃતિ એટલે જ શેષશાયી. અને જે ત્રણ ગુણોથી એનું પરિવર્તન થાય છે તેને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કે નારાયણ કહી શકાય. આમ અવ્યકત પ્રકૃતિમાં છુપાયેલ નારાયણ એટલે જ
” શેષશાયી વિષ્ણુ ”
ઇતિ.
” હું,તમે,તું કે તે “ July 30, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” હું, તમે, તું કે તે ”
હું, હું, હું,હું કહું હું મુજને
અન્ય કહે મને,તમે,તું કે તે
પણ દેહ મારો આ જયારે પડશે
નહીં રહે હું,તમે કે તું.
હું,તું,તમે બધું મટી જાશે
રહેશે કેવળ તે.
તે ‘તે’ જ માં હતું તેજ આ દેહનું
જે જાતાં ભળશે તેજમાં ‘તે’જ.