” મયકે નસેમે “ August 10, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment મૈં,મૈં;મૈં,મૈં સબ કરે ઇસ જગમે
યહ જગહી તો હય મયખાના.
મૈં ભી ફસા હું ઇસ મયકે નસેમે
સો મૈંને ખૂદકો હી નહી પૈછાના..
” શેષશાયી વિષ્ણુ “ August 6, 2007
Posted by vijayshah in : વિચાર , 2 comments” શેષશાયી વિષ્ણુ ”
આ બે શબ્દોનો સાચો અર્થ શું? શું સાચે જ વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર ઊંઘતા રહેતા હશે ?
તો આ સારી સૃષ્ટિની સંભાળ કેવી રીતે રાખતા હશે? મારે હિસાબે
શેષ = બાકી રહેલું, વધારાનું
શાયી = સુતેલું, ઊંઘતુ કે નિષ્ક્રીય અથવા અવ્યકત “ઊંઘતી વ્યકિત પ્રવૃત્તિ ટાણે અવ્યકત જ હોયને”
વિષ્ણુ =જે વિશ્વમાં અને અણુમાં વસે છે તે
“વસતિ વિષ્વેષુ ચ અણુષુ ચ ઇતિ વિષ્ણુ”
આધુનિક જામાનાના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વિશ્વને બે વિભાગમાં વહેચી શકાય. એક ભાગ છે વ્યકત અને બીજો છે અવ્યકત આ અવ્યકત ભાગને તેઓ ડાર્ક યુનિવર્સ તરીકે ઓળખાવે છે. આપણા વેદિક શાસ્ત્રોએ આ અવ્યકત જગતને પ્રકૃતિનું નામ આપ્યું છે. અને તેઓને હિસાબે જયારે આ પ્રકૃતિ ત્રણ ગુણોની પકડમાં આવે છે ત્યારે તેનું સૃષ્ટિના રૂપમાં પરિવર્તન થાય છે. અને આપણને શૂન્યમાંથી સૃષ્ટિ ઉતપન્ન થતી હોય એવો આભાાસ થાય છે.બાકી શૂન્યમાંથી તો કશું ઉદ્દ્ભવે જ નહીં. આ અવ્યકત પ્રકૃતિ એટલે જ શૂન્ય. અને આ પ્રકૃનિતો જે ભાગ પરિવર્તનમાં વપરાયો નથી તેને આપણે પ્રકૃતિનો બચેલો કે વધેલો ભાગ કહી શકીયે કે નહીં ? આમ સૃષ્ટિના સર્જનમાંથી બાકી રહેલ અવ્યકત પ્રકૃતિ એટલે જ શેષશાયી. અને જે ત્રણ ગુણોથી એનું પરિવર્તન થાય છે તેને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કે નારાયણ કહી શકાય. આમ અવ્યકત પ્રકૃતિમાં છુપાયેલ નારાયણ એટલે જ
” શેષશાયી વિષ્ણુ ”
ઇતિ.
” ર્હદય ચાળની “ August 5, 2007
Posted by vijayshah in : કવિતા , 3 comments” ર્હદય ચાળની ”
સ્વર્ગ અને નરક વચ્ચે
અંતર બે વહેતનું રહ્યું.
મસ્તિષ્કમાં નરક છે’ને
સ્વર્ગ હદયમાં રહ્યું.
જો ઇચ્છો સ્વર્ગની કેડી લેવા
તો મસ્તિષ્કથી ભાગવું રહ્યું.
‘ને ર્હદય ચાળણીએ મનના બધા
વિચાર, ચાળતા શીખવું રહ્યું.
“Sieve of our heart” August 2, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far“Sieve of our heart”
Heaven and hell are only
About twelve inches apart,
Hell we find in the head of man
And heaven is in his heart.
So if one wishes to see the heaven
From his head he must depart,
And learn to sift all his thoughts
Using the sieve of his own heart.
” શ્રવણં મનનં નિદિધ્યાસં |” July 31, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” શ્રવણં મનનં નિદિધ્યાસં |”
શ્રવણં મનનં નિદિધ્યાસં |
કૃત્વા ત્રયોતત્ ભવતિ વિકાસં ||
શ્રવણં મનનં નિદિધ્યાસં |
ત્યકત્વા એકોપિ ભવતિ વિકારં ||
શ્રવણં મનનં નિદિધ્યાસં |
ત્યકત્વા ત્રયોતત્ ભવતિ વિનાશં ||
” હું,તમે,તું કે તે “ July 30, 2007
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” હું, તમે, તું કે તે ”
હું, હું, હું,હું કહું હું મુજને
અન્ય કહે મને,તમે,તું કે તે
પણ દેહ મારો આ જયારે પડશે
નહીં રહે હું,તમે કે તું.
હું,તું,તમે બધું મટી જાશે
રહેશે કેવળ તે.
તે ‘તે’ જ માં હતું તેજ આ દેહનું
જે જાતાં ભળશે તેજમાં ‘તે’જ.
” Who is Hindu ?” July 27, 2007
Posted by vijayshah in : વિચાર , 2 commentsA person who cares for and helps promote
H-umanity in an
I-ntelligent and
N-onviolent way and with
D-etached attitude to
U-plift both himself and his fellowmen is a true HINDU
” બે મુક્તકો “
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” બે મુક્તકો ”
ભાષા પ્રણયની લખાયે હૃદય ‘પર,
‘વળી લખાય છે તે નયનોની કલમથી.
સમજાય ના પૂરી કેવળ શબ્દો વડે જે,
તે સમજાય અશ્રુ કે ચુંબનોની આપ લેથી
****************************
અમીરી ગરીબી કા કારન,હમારે કરમ હૈ
દુઃખ હૈ ગરીબીમેં,એ તો મનકા ભરમ હૈ
ગરીબીમેં રહેનેમેં ન કુછભી શરમ હૈ
ઇમાનતસે જીના વહી હમારા ધરમ હૈ
” સુનામી “ July 24, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” સુનામી ”
ધસમસતો દોડી આવ્યો સાગર
સાથે લઇ આવ્યો મોટી સુનામી
દેશ વિદેશમાં ફરી વળીને
કીધી જાન માલને ખૂબ હાની.
શું લાગ્યા હશે એ સાગરને પ્યારા
બીજા સર્વ પશુ ને પ્રાણી
જેથી દઇ દીધી તે સહુને
તેના આગમનની એંધાણી.
શાને રાખ્યો વંચિત માનવને
શાને ન દીધી તેને એંધાણી
શું લાગી તેને જાત માનવની
અતિ ઘમંડી કે બેઇમાની !
સુનામીમાં પ્રભુએ જે માર્યાં
તેથી વધુ માનવે માર્યાં સુદાની
જોઇ લો ભાઇ જઇને ઇરાકે
જયાં થઇ રહી કતલ એક બીજાની.
પણ શોક નથી તેનો માનવને
બસ રાખે આશ કેવળ જીતવાની
તેથી કઇ શિખ દેવા આ જગને
આવ્યો સાગર લઇને સુનામી.
પ્રભુ કરજો ક્ષમા એ વાંક અમારો
દેજો શકિત સહન કરવાની
બસ નત મસ્તકે કહું હું તુજને
પ્રણમામિ ત્વાં પ્રણમામિ
૧-૧૨-૦૫
” What is Future “ July 23, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” What is Future ”
If future is a time which
Nobody has ever seen
Then to cherish all their hopes
Why everyone always dreams!
Is future a time, which brings
To us, Happiness and hopes?
No. Sometimes it makes us happy
And sometimes it makes us mope.
Future is one big river bed
Whose banks are eternal time.
Flowing full with water of hopes
It springs from human mind.
If every hope of every man
Keeps flowing in that future time,
Still after eons, some one will find
Deep empty abyss of time.
To me, future is nothing but
Deep empty abyss of time.
And water of hopes from abyss of mind
Will keep flowing to that abyss of time.
Girish Desai