” સુખનું ધામ “ April 18, 2007
Posted by vijayshah in : વિચાર , 2 comments” સુખનું ધામ ”
તન માટે ઉદ્યમ ભલો,મન માટે હરિ નામ
ધન માટે બુદ્ધિ ભલી, સંતોષ છે સુખનું ધામ
” માનવી માનવ બને તો ઘણું. “
Posted by vijayshah in : વિચાર , 1 comment so far” માનવી માનવ બને તો ઘણું. ”
સૃષ્ટિના સર્જનને ટાણે,ભળ્યા અણુમાં અણુ
એમ કરતા માનવી સર્જાયો, પહેલો કહેવાયો મનુ.
સુખ શાન્તિ પામવા, માનવી ખૂંદે જગત ઘણું,
પણ સુખ શાન્તિ કાજે તો
બસ માનવી માનવ બને તો ઘણું.
” The Seed “ April 14, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment ” The Seed ”
Thought is a seed, impregnated by our Lord
And nourished in the womb of our mind.
It grows as a tree, and we call it our world,
Bearing fruits, of every different kind.
Everyone tries to climb on this tree
To test the fruit that he desires.
And as soon as he tests that one,
He longs for the one that is higher.
Time and again he picks and tests,
Yet unfulfilled remains his desire.
From the day of birth he starts to pick
Till the day he is put on the pyre.
Posted by vijayshah in : કવિતા , add a comment
” બીજ ”
વિચાર તો બીજ છે, જે શ્રી હરિએ વાવીયું
‘ને મન તણા ગર્ભમાં તે વિકાસ પામે
આ બીજના વૃક્ષને સહુએ જગત કહયું
વાસના ફળ તે ઉપર નીત નવિન લાગે.
સર્વ જન તે વૃક્ષ ઉપર ચઢવા મથે
ઇચ્છી એ ફળ તણો સ્વાદ કરવા.
ચાખી ફળ એક તે બીજું જરૂર ચહે
‘ને કરે યત્ન તે વધુ ઉપર ચઢવા.
ચાખે ફળ ફરી ફરી પણ ન ધરાય તે કદી
ન વળે જીવન ભર તેને કોઇ શાતા,
જન્મથી શરૂ કરી તે સદાય ચઢતો રહે
રોકાય તે કેવળ મૃત્યુ થાતા.
” સ્વર્ગ કે નરક “ April 12, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” સ્વર્ગ કે નરક ”
મૃત્યુ પછી કોઇ આવે, કહેવા શું પાછું,
કે છે દુઃખ નરકે, ને સ્વર્ગમાં સુખ સાચું ?
મૃત્યુ પછી નહીં પણ અહીંયા જ, આજે
મળે સ્વર્ગ કે નરક, કરી કર્મ સારૂં કે નઠારૂં.
જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.
તો આવવું પડશે તેને તમારી સાથે
જે દી થશે ભાઇ મૃત્યુ તમારૂં.
તો સ્વર્ગ કે નરકમાં કયાં લઇ જશે તે ?
વિચારો, કહો હવે શું કહે છે મન તમારૂં.
” જયાં જયાં — ત્યાં ત્યાં “ April 11, 2007
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” જયાં જયાં — ત્યાં ત્યાં ”
જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જયાં જયાં હોય એક મતાન્ધી, ત્યાં ત્યાં સદા થાય તકરાર.
જયાં જયાં હોય લોકો લોભી, ત્યાં ત્યાં હોય ધૂર્ત પરિવાર,
જયાં જયાં વસે અંધ શ્રધ્ધાળુ, ત્યાં ત્યાં થાય છે ભષ્ટાચાર.
જયાં જયાં હોય લોકો નિર્બળ, ત્યાં ત્યાં થાયે અત્યાચાર,
જયાં જયાં હોયે લોકો દંભી, ત્યાં ત્યાં થાયે મિથ્યાચાર.
જયાં જયાં લોકો હોય પ્રમાદી, ત્યાં ત્યાં સદા દેખાયે ગંદવાડ,
જયાં જયાં હોય લોકો આળસુ, ત્યાં ત્યાં દરિદ્રતા પારાવાર.
Potion For Happiness April 9, 2007
Posted by vijayshah in : કવિતા , add a commentPotion For Happiness
Life is what we make of it,
By doing things, dumb or smart.
Love always pulls us together
And hate just breaks us apart.
If we wish for a life that is happy
One lesson we must learn by heart,
That the true potion for a happy life
Is open mind and a loving heart.
” જીવન ઘડતર “
Posted by vijayshah in : કવિતા , 1 comment so far” જીવન ઘડતર ”
ઘડીએ તેવું જ ઘડાય જીવન,
કરીને કર્મો સારાં કે ખોટાં.
પ્રેમ વડે સહુ થાય છે ભેળાં,
દ્વેષ વડે સહુ થાય વિખૂટા.
જો ઇચ્છો રહેવા સુખી આ જગમાં
તો રાખો યાદ તમારા મનમાં
કે સુખ કાજે રાખવું મન મોટું
અને ભરવો પ્રેમ હ્યદયમાં.
” પંખીની દિનચર્યા “ April 7, 2007
Posted by vijayshah in : કવિતા , add a comment” પંખીની દિનચર્યા ”
પ્રાતઃકાળે કલરવ કરી ઉઠે
ત્યજી જાય પંખી માળો,
ખૂલ્લે વ્યોમે ફર ફર ઉડી
શોધવા જાય દાણો.
દાણો મળતાં કૂજન મીઠું કરી
પહોંચી જાય પાછું માળે.
બચ્ચાં તેનાં ચીખ ચીખ કરી કહે
જોઇએ દાણો એક મારે.
વળી મધ્યાન્હે સૂરજ ધખ ધખે
ચાહે પંખી કયાંક છાંયો,
તરૂવર ડાળે ગુપચૂપ બની
કરી લે થોડો વિસામો.
સંધ્યાકાળે સૂરજ મૃદુથતાં
ઘૂમે પંખી ચારે કોરે.
ઘૂમી ઘામી નીજ ઉદર ભરે
પંખી નમતે પહોરે.
ડૂબે જયારે રવિ ક્ષિતિજમાં
પહોંચી જાય પંખી માળે,
‘ને ઢાળી માથું નીજ શરીરમાં
પોઢી જાય પભુને ખોળે.
” મુક્તકો” April 5, 2007
Posted by vijayshah in : વિચાર , 2 comments” મુક્તકો”
રહેવા ચાહો જો સ્વતંત્ર તો શિખો કરતાં મજૂરી
રહેવા ચાહો પરતંત્ર તો શિખો કરતાં હજૂરી.
મજૂરીયના જીવન મહીં જ રહી શકે સાચી ખુમારી
હજૂરીયાના જીવન તણી તો થાયે કેવળ ખુવારી.
૧૧-૧૨-૦૩
જીવન કેરી સરિતાના જળને કહેવાયે છે આશા
તન મન કેરા બે કિનારા ‘ને છે કાળ તણી મર્યાદા.
૧૨-૨૬-૦૩
પ્રભુ, તું ભલે કરે એવું કે,
હું જાઉં બધા ઇનામ હારી,
પણ ન કરતો કદી એવું કે,
વિસરું હું મારી ઇમાનદારી.
૧૨-૩૧-૦૩
સમજો ભાઇ આ જીવનને અમર મૃત્યુનું નૃત્ય,
નૃત્ય કરે જે મૃત્યુ સંગે તે જીવન થાય કૃતકૃત્ય.
૪-૪-૦૪
જન્મતો છે મૃત્યુનું મૃત્યુ
અને છે મૃત્યુ જીવનનો અંત,
આ કાળ ચક્ર ચાલે શાને
તે તો જાણે કેવળ ભગવંત.
૪-૪-૦૪
ન કરી શકાય કદી કોઇથી સમય ને કોઇ બાધા
ન કળી શકાય કદી કોઇથી સમય કેરી મર્યાદા.
કયંા છે સમય સમય ની પાસે,સૂણવા કોઇના ભાગ્યની ગાથા
એતો રહે સદાયે વહેતો,ભલે ને રહે અધૂરા મનના ઇરાદા.